માંગરોળ તાલુકાના લોએજ ગામે નંદાણિયા પરિવાર દ્વારા ચક્ષુદાન

0

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તા.૩૧-૧-૨૦૨૫ને શુક્રવાર, મહા સુદ બીજના રોજ સ્વ.માલદેભાઈ મારખીભાઈ નંદાણિયા(ઉ.વ.૯૦)નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ સરમણભાઈ માલદેભાઈ નંદાણિયાના પિતાશ્રી થાય છે. આ તકે તેમના પરિવાર દ્વારા મૃતકના બંન્ને ચક્ષુનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી આથી લોએજ ગામના વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ અને શિવમ્‌ ચક્ષુદાન આરેણાને હરહંમેશ મદદ કરનાર મહેન્દ્રભાઈ નંદાણિયાએ શિવમ્‌ ચક્ષુદાન આરેણાના સંચાલકને જાણ કરતા રહિજ ગામના હરદિપસિંહ જેઠવાએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ, જિ.ગીર સોમનાથને કરશનભાઈ વાજા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં. ચક્ષુદાન લેતી વખતે રાણાભાઈ ચાંડેરા તેમજ ધર્મેશભાઈ ચાંડેરાએ જરુરી મદદ અને સહયોગ આપ્યો હતો.આ સમયે તેમના પરિવારજનો અને ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ચક્ષુદાનનો સ્વિકાર અરૂણભાઈ સોલંકી અને રમેશભાઈ નંદાણિયા દ્વારા કરવામાં આવ્યો હતો. નંદાણિયા પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી ર્નિણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્‌ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.માલદેભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે. આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. નંદાણિયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્‌ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્‌સ ગૃપ,વંદેમાતરમ્‌ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ, શ્રી ડુગરગુરૂ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જૂનાગઢ, ગીરનારી બ્લડ ગૃપ-જૂનાગઢ, ભારત વિકાસ પરિષદ, માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો, માંગરોળ ડોક્ટર એસોસિએશન, ઈન્ડિયન હ્યુમન રાઈટ્‌સ એસોસિયેશન-માંગરોળ તેમજ પ્રભાતફેરી ધૂન મંડળ દ્વારા બિરદાવવામાં આવે છે અને આપના પરિવાર ઉપર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ માલદેભાઈના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી. મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તારમાં કોર્નિયાથી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલાની તપાસ કરીને ઓપરેશન માટે ફીટ હોવી જાેઈએ. મતલબ આ આંખના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જાેવાતું હોય છે. આમ જે લોકોને કોર્નિયાથી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે. આવી વ્યક્તિની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્રિષ્ટ ફરીથી અપાવી શકીએ છીએ.

error: Content is protected !!