શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૫-૦૨-૨૦૨૫ને બુધવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા સેવંતીના મીક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો તથા ૫૦૦ કિલો ગોળનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે ૫ઃ૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સ.ગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત છે જે બ્રહ્માંડના દરેક જીવો ઉપર સિદ્ધિઓના આશીર્વાદ અને અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત અનંત ઐશ્વર્યની વર્ષા કરી રહ્યા છે. શ્રી ગોપાળાનંદસ્વામીએ આ ધરતી ઉપર વસતા દરેક પ્રાણી, પક્ષી, મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાળંગપુર ખાતે સ્થાપના કરી હતી. આવા વિરલ સંતની ઐશ્વર્યની અસર આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને સાળંગપુરધામમાં જાેવા મળી રહી છે. સ્વામીજીની મહાન કથાઓની પરંપરા આજે પણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં સંતો અને ભક્તોના હૃદયમાં અંકિત છે. આવા મહાન સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સ.ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીજીને તેમના ૨૪૪માં પ્રાગટ્ય દિવસના પાવન અવસર ઉપર લાખ લાખ વંદન એવં હાર્દિક શુભેચ્છાઓ. સવારે૭ કલાકે શ્રી કષ્ટભંજનદેવની મૂર્તિની સ્થાપના કરનારા શાશ્વત મૂળ અક્ષરમૂર્તિ સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના૨૪૪માં પ્રાગટ્ય દિવસ નિમિતે પૂજન-અર્ચન-આરતી પ.પૂ.નારાયણમુની સ્વામી તેમજ ર્કિતનસાગર સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.