વર્ષ ર૦રપ નું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહિ : ધૂળેટી શુક્રવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

0

ખંડગ્રાસ, ખગ્રાસ ચંદ્રગ્રહણ વિશ્વના દેશોમાં અદ્દભુત જાેવા મળશે : અવકાશી ગ્રહણ ૩ કલાક ૩૮ મિનિટનું રહેશે. ભારતમાં જાેવા મળશે નહિ : ચંદ્ર કે સૂર્યગ્રહણની માનવજીવન ઉપર લેશમાત્ર અસર થતી નથી : રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણની વૈજ્ઞાનિક સમજ આપશે

વિશ્વના અમુક દેશો, પ્રદેશોમાં શુક્રવાર તા.૧૪ મી માર્ચના રોજ ખંડગ્રાસ – ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જાેવા મળવાનો છે. ભારતના લોકોને આ ગ્રહણ જાેવા મળશે નહિ. ગ્રહણની અવધિ ત્રણ કલાક ૩૮ મિનિટની રહેશે. અમેરિકા સહિતના દેશો-પ્રદેશોમાં આહલાદક જાેવા મળશે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપી લોકોને અવગત કરશે. જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે સંવત ર૦૮૧ ફાગણ સુદ પુનમ શુક્રવાર માર્ચ ૧૪ મી ર૦રપ ના સૂર્ય કુંભ રાશિ અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં તથા ચંદ્ર સિંહ અને કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહિ. આ ગ્રહણ અમેરિકા, પશ્ચિમ અમેરિકા, પશ્ચિમ યુરોપ, પેસિફિક, પશ્ચિમ આફ્રિકા, ઉપરાંત આર્કટિક મહાસાગર, બ્યુકોટ સમુદ્ર, લીંકોન સમુદ્ર, બફિનનો અખાત, ઉત્તર પેસિફિક મહાસાગર, દક્ષિણ પેસિફિક મહાસાગર, એર્ન્ટાકટિકા સર્કલ, એમુન્ડસેન સમુદ્ર વિગેરેમાં જાેવા મળશે. ભારતમાં ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ૧૦ કલાક ૩૯ મિનિટ ૪૦ સેકન્ડ, ગ્રહણ સંમીલન : ૧૧ કલાક પ૬ મિનિટ ૦૬ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧ર કલાક ર૮ મિનિટ ૪૩ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન : ૧૩ કલાક ૦૧ મિનિટ ર૬ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૧૪ કલાક ૧૭ મિનિટ પર સેકન્ડ, ગ્રહણ પરમ ગ્રાસ : ૧.૧૮૩, ગ્રહણ કાળ : ૩ કલાક ૩૮ મિનિટનો રહેશે. જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર ૧પ દિવસમાં ચંદ્રગ્રહણ – સૂર્યગ્રહણનો અવકાશી નજારો બનવાનો છે તે માત્ર પરિભ્રમણની રમત કહી શકાય. ખંડગ્રાસ – ખગ્રાસ ચંદ્રગ્રહણ નરી આંખે આહલાદક-અદ્દભુત જાેઈ શકાય છે. ભારતમાં જાેવા મળશે નહિ. ૧પ દિવસમાં બે ગ્રહણો દર્શાવી જ્યોતિષીઓ સદીઓથી નકારાત્મક ફળકથનો, આગાહી કરે છે જે નર્યું તુત છે. અવકાશી ઘટનાઓ જાેવા-માણવા માટે હોય છે. ભારતમાં લેભાગુઓ અવરોધનું કામ કરે છે. માદ્ય-ઉપછાયા-છાયા ચંદ્રગ્રહણ પ્રકાશનો સામાન્ય તફાવત જાેવા મળતો હોય દૂરબીન-ટેલીસ્કોપથી આહલાદક જાેઈ શકાય છે જેમાં પૃથ્વીનો મિત્ર ચંદ્ર માનવી માટે અનેક પ્રકારે લાભપ્રદ છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. અવકાશી ઘટનાઓ જાેવા-માણવા માટેની હોય છે. ગ્રહો કે ગ્રહણોને માનવજીવન સાથે કશી જ લેવા-દેવા નથી તેની સમજ આપવામાં આવશે. ચંદ્ર દર વર્ષો બે સેન્ટીમીટર ખસે છે. ભવિષ્યમાં આશરે ૪૭ કલાકનો દિવસ પણ બનશે. ગ્રહણ પૂનમ-અમાસનો સાથ છોડી ગમે તે તિથીએ ગ્રહણની ખગોળીય ઘટના બનશે. ભરતી-ઓટના વૈજ્ઞાનિક કારણની માહિતી આપવામાં આવશે. વૈજ્ઞાનિકો ખગોળી ઘટના વખતે માનવ કલ્યાણકારી સંશોધનો આદરે છે. ચંદ્ર-મંગળ ઉપર માનવી વસવાટ કરી શકે તે માટેની તૈયારી આરંભી દીધી છે. વિજ્ઞાનથી માનવજાત સુખી-સંપન્ન થયો છે. જયારે ગ્રહણ સમયે લેભાગુઓ, અમુક જયોતિષીઓ નકારાત્મક આગાહીઓ, રાશિ ફળકથનો, કર્મકાંડ-ક્રિયાકાંડો તરફ દોરી જઈને ગુમરાહ કરવાનું કામ કરે છે. લોકોને આર્થિક પછાત રાખવાના ષડયંત્રના ભાગરૂપે ગ્રહણ સમયે જપ-તપ, દાન-પુણ્ય, સૂતક-બૂતક, વેધાદિ નિયમો પાળવાનું બતાવી અવળે માર્ગે વાળે છે. વાસ્તવમાં સૂતક-ગ્રહણના પાળવાના નિયમો નર્યો બકવાસ છે. ગ્રહણની રાજકીય-ભૌગોલિક અસરો લેભાગુઓના મનની ઉપજ છે. ગ્રહણના લાભાલાભ, શુભ-અશુભ, હોની-અનહોની વિગેરે દર્શાવવામાં આવે છે તે નર્યું તુત છે. વધુમાં પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર હજારો સૂર્ય-ચંદ્રગ્રહણો પસાર થઈ ગયા હવે પછી પણ પસાર થવાના છે ત્યારે ગ્રહણની અસરોની હકિકત માત્ર ને માત્ર બકવાસ વિજ્ઞાને સાબિત કરી છે. કુદરત-પ્રાકૃતિક નિયમો અનુસાર પૃથ્વી ઉપર દર મિનિટે સારી–ખરાબ, હોની-અનહોની ઘટના બનવાની જ છે. તેને કોઈ રોકી શકતું નથી. તેને પ્રાર્થના-પૂજાપાઠ, હોમ-હવન, જપ-તપ સાથે કશી જ લેવાદેવા નથી. વિજ્ઞાન આગોતરી જાણકારી આપી સાવધાન કરે છે તેને અટકાવી શકતું નથી. ટી.વી. ઉપર પળે-પળની માહિતી નજરે જાેઈ શકીએ છતાં અવિજ્ઞાન જયોતિષ તરફ રૂચિ રાખવી તે માનવીની દરિદ્ર માનસિકતા છે. ભારતમાં સદીઓથી સંકટ, ભયાનકતા, દુ:ખ ટાળવા અનુષ્ઠાન, પૂજાવિધી વિગેરે જાેવા મળે છે જયારે યુરોપ ખંડમાં સંશોધનો આદરી તેમનો સામનો કરવા શીખડાવવામાં આવે છે. જાથા લોકોમાં મનોબળ દ્રઢ કરવા અનેક કાર્યક્રમો આપે છે. માનસિક નબળા લોકોને અનેક પ્રકારની અસર સાથે ક્રિયાકાંડો કરવા પડે છે તેમાં બરબાદી મળે છે તે માટે પોતે જવાબદાર છે. જાથાએ સમગ્ર ભારતમાં ગ્રહણનની વૈજ્ઞાનિક સમજ આપવાનું અભિયાન આદર્યુ છે. એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ભારતમાં સદીઓથી ગ્રહણ દેખાવાનું હોય તો તે સમયે હિન્દુઓ માટે જ વિધિ-વિધાન છે. મંદિરો બંધ રાખવાનું તર્ક સમજાતું નથી. ગ્રહણ પહેલાની કલાકોમાં વેધાદિ નિયમો પાળવાના તુત આપણા દેશમાં જાેવા મળે છે. ગ્રહણ સંબંધી રદ્દી માન્યતાઓ, રિવાજાે, પરંપરાઓ, દંતકથાઓ વિગેરે જે તે સમયે સ્તુત્ય હશે પરંતુ ર૧ મી સદીમાં તદ્દન અવાસ્તવિક, અતાર્કિક, અવૈજ્ઞાનિક હોય તેને તિલાંજલિ આપવી જાેઈએ. ભાવિ પેઢીને વિજ્ઞાન દ્રષ્ટિકોણ-અભિગમ આપવાની જરૂર છે. રાજયમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, હિંમતનગર, રાજપીપળા, ડાંગ-આહવા, છોટા ઉદેપુર, ગોધરા, વ્યારા, પંચમહાલ, મોડાસા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા-તાલુકા મથકે જાગૃતો સ્વયં આયોજન કરી વૈજ્ઞાનિક સમજ આપશે. વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમમાં જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, રામભાઈ આહિર, રાજુભાઈ યાદવ, વિનુભાઈ લોદરીયા, અરવિંદ પટેલ, ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર સહિત શાખાઓના પ્રતિનિધિઓ જાેડાવવાના છે. અંતમાં પોતાના ગામમાં ગ્રહણ સમજના કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!