જૂનાગઢ ગીરનાર તળેટી ભવનાથ ખાતે આવેલ ગૌરક્ષ આશ્રમના મહંત પીરયોગી શેરનાથ બાપુના ગુરૂદેવની ૩૩મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભંડારો અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પૂજ્ય શેરનાથબાપુએ તેમના ગુરૂ શ્રી ત્રિલોકનાથ બાપુની ૩૩મી પુણ્યતિથિ પ્રતિ વર્ષ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને સાધુ સંતોને ભોજન પ્રસાદ અને સેવક સમુદાય અને ભાવિકો પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લે છે. જેમાં ગઈકાલે વહેલી સવારે બાપુની સમાધિનું પૂજન અને બપોરે મહાપ્રસાદ અને રાત્રિના ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં આખો દિવસ ધર્મમ્ય માહોલ ઊભો થયો હતો. જેમાં ઉપલા દાતારના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા શેરનાથ બાપુના ગુરૂ શ્રી ત્રિલોકનાથ બાપુને શ્રદ્ધાંજલિ અર્પવા મહંત શ્રી ભીમ બાપુ વતી તેમના સેવકોએ પૂજ્યશ્રી શેરનાથ બાપુનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આશીર્વાદ લીધા હતા.