માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે પટાટ પરિવાર-આહીર તેમજ ચાવડા પરિવાર-રબારી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસ માળિયા દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાર્મિક કાર્યની સાથે સાથે રક્તદાન કરી અન્ય લોકોના શરીરમાં પણ રક્ત સંચાર કરવાના ઉમદા હેતુથી આ મહાદાન ના યજ્ઞમાં ૧૦૦ જેટલી માતબર બોટલ લોહી એકત્ર કરેલ, આ તકે તમામ રક્ત દાતાઓ તેમજ તમામ સહયોગીઓનો આયોજન ટીમ આભાર વ્યક્ત કરે છે.