ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિ. અને ફીલિંગ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ભારત ભાગ્ય વિધાતા – રાષ્ટ્ર પ્રથમ’નો કાર્યક્રમ તા.૧૩-૪-૨૦૨૫ના રોજ ‘ધ કેપિટલ ફોરમ ક્લબ ઓ સેવન, શેલા – અમદાવાદ ખાતે યોજાયો
ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિ. અને ફીલિંગ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ભારત ભાગ્ય વિધાતા – રાષ્ટ્ર પ્રથમ’નો કાર્યક્રમ તા.૧૩-૪-૨૦૨૫ના રોજ ‘ધ કેપિટલ ફોરમ ક્લબ ઓ સેવન, શેલા – અમદાવાદ ખાતે યોજાયો હતો. સમારંભમાં જૈન આચાર્ય પ્. પૂ પદ્મસાગર સૂરિજી મહારાજ સાહેબ તથા રાષ્ટ્રસંત ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવન ઉપસ્થિતિએ આધ્યાત્મિક સૌરભ પ્રસરાવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નિવૃત્ત મુખ્ય સચિવ પી.કે. લહેરી તેમજ ગુજરાત અને ઝારખંડ હાઈકોર્ટના નિવૃત જસ્ટિસ પી. પી. ભટ્ટ તથા ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિમિટેડના સી.એમ.ડી.-એડિટર અતુલભાઈ શાહના વરદ્ હસ્તે દીપપ્રાગટ્ય. પ્રાસંગિક પ્રવચનમાં ફીલિંગ્સના સી.એમ. ડી એડિટર અતુલ શાહે ઉપસ્થિત જૈનાચાર્યો તેમજ મંચસ્થ મહાનુભાવો અને આમંત્રિતોને આવકાર આપી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરેલ. આ પ્રસંગે તેમણે સમાજમાં મનોદિવ્યાંગ બાળકો અને નિ:સહાય વૃધ્ધો માટે આધુનિક સુવિધાથી સજ્જ ભવન નિર્માણ કરવાની પણ ભાવના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ફીલિંગ્સ દ્વારા આયોજીત આ ‘ભારત ભાગ્ય વિધાતા રાષ્ટ્રપ્રથમ‘નો કાર્યક્રમ રાષ્ટ્ર અને સમાજની બહુ મોટી સેવા છે. વિકસિત ભારતના ભાગ્યવિધાતા તરીકે ફીલિંગ્સના સી.એમ.ડી-એડિટર અતુલભાઇ શાહ અને સમગ્ર ટીમને આ અદભૂત કાર્યક્રમ કરવા બદલ હું ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. દેશ પ્રથમનો ભાવ હૈયે રાખી વિવિધ ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓને ફીલિંગ્સ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવાના આ ઉપક્રમને મુખ્યમંત્રીએ આવકાર્યો હતો. સરદાર પટેલથી લઈને ડો. અબ્દુલ કલામ આઝાદ જેવા સપૂતોની પ્રેરણાથી સ્વતંત્ર ભારતનું ભાગ્ય ઘડવાની આપણને નવી દિશા મળી હોવાની વાત સાથે ‘ભારતના ભાગ્ય વિધાતા’ બનેલ આપણાં વડાપ્રધાનએ આપેલ નવ સંકલ્પોને અપનાવી ઉપસ્થિત સૌને વિકસિત ભારતના ‘સાચા ભાગ્ય વિધાતા’ બનવા તેમણે હાકલ કરી હતી. સમારંભના અધ્યક્ષપદેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના પ્રેરણાદાયી વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિ. છેલ્લા ૨૭ વર્ષોથી ૫૫ જેટલા દેશોમાં ૩૦ લાખથી વધુ વાચકો સુધી સકારાત્મક વિચારો પ્રસરાવી રહ્યું છે અને માનવતાને ભારતીય જીવન મૂલ્યો સાથે જાેડી રહ્યું છે ત્યારે ફીલિંગ્સના સી.એમ.ડી-એડિટર અતુલભાઈ શાહને હું હાર્દિક અભિનંદન આપું છું. ‘કોઈપણ સમાજ માટે એ ખૂબ આનંદની વાત હોય છે જ્યારે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એકત્રિત થઈ સમાજના સર્વાંગી વિકાસમાં પોતાનું યોગદાન આપે છે.’ અત્રેથી સન્માન મેળવનાર આ તમામ મહાનુભાવો પોત-પોતાના ક્ષેત્રમાં દેશને આગળ લઈ જવા માટે સમર્પિત ભાવથી જે કાર્ય કરી રહ્યા છે તેઓને મારી શુભકામનાઓ પાઠવું છું. રાજ્યપાલએ વડાપ્રધાનના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ-મિશનને અપનાવી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો ઉપયોગ કરવાની સૌને અપીલ કરી હતી. ભારતની સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંવર્ધન માટે વિજ્ઞાન, અધ્યાત્મ, કલાજગત, રમત-ગમત, ઉદ્યોગ-જગત અને સમાજ સેવામાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપનાર દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત આમંત્રિત મહાનુભાવોનું ‘ફીલિંગ્સ પ્રાઇડ ઓફ ઈન્ડિયા એવાર્ડ‘ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નિવૃત્ત મુખ્ય સચિવ પી.કે. લહેરી તેમજ ગુજરાત અને ઝારખંડ હાઈકોર્ટના નિવૃત જસ્ટિસ પી.પી. ભટ્ટ તથા ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિમિટેડના સી. એમ. ડી.-એડિટર અતુલભાઈ શાહના વરદ્ હસ્તે અર્પણ કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિમિટેડ ‘ભારત ભાગ્ય વિધાતા‘ ઝુંબેશને વિવિધ કાર્યક્રમોની હારમાળાથી સમગ્ર વર્ષ દરમ્યાન કાર્યરત રાખવા કટિબદ્ધ છે, જેથી સમગ્ર પ્રોજેક્ટને એક નવી દિશા સાંપડે. સૌ ભારતીયો, બુદ્ધિ જીવીઓ અને ઉદ્યોગપતિ સહિત તમામ લોકો રાષ્ટ્ર ચેતનાની આ જ્યોતને ઘર-ઘરમાં પહોંચાડી ‘ભારત ભાગ્ય વિધાતા’ ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપી શકે. આપ પણ પોતાના નૂતન વિચારો અને રચનાત્મક સૂચનો અમોને લેખિત કે ૧ મિનિટના વીડિયો દ્વારા ઈમેલ info@feelingsmultimedia.com / atulshah496@gmail.com અથવા વોટ્સએપ ૯૮૨૫૩ ૨૮૪૮૮ પર મોકલાવી શકો છો. ૧) વિશ્વગુરૂ બનવા માટે ભારતે શું કરવું જાેઈએ ? ૨) ૨૦૫૦ સુધીમાં સમૃધ્ધ ભારતના નિર્માણમાં ‘ભારત ભાગ્ય વિધાતા’ તરીકે હું શું યોગદાન આપી શકું ? ૩) મારો એક એવો સંકલ્પ જે મારા રાષ્ટ્રને મદદરૂપ બને. સમૃદ્ધ ભારતના સ્વપ્નને સાકાર કરવા વિશ્વભરના તમામ ભારતીયોના સજેશન્સ ખૂબ જ જરૂરી છે ત્યારે નૂતન ભારતના ઘડતરમાં આપ સૌ જાેડાઈને એક ભારતીય નાગરિક તરીકે આપનું ઋણ અદા કરી શકો છો.