ઊના શહેરમાં પોલીસ દ્વારા ઓપન હાઉસ અને જાગૃતતા સેમિનાર યોજાયો

0

ઊના શહેરમાં નગરપાલિકા સંચાલિત ટાઉન હોલમાં ઊના, ગીર ગઢડા, નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના સયુંકત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચોધરીના માર્ગદર્શન હેઠળ ઓપન હાઉસ અને જાગૃતતા સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ઊના શહેર અને તાલુકો, ગીર ગઢડા તાલુકા અને નવાબંદર વિસ્તારના નગરજનો, વેપારીઓ, આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઓપન હાઉસમાં વ્યાજના વિષચક્રના ચુંગલમાં ફસાયેલ લોકોને રજૂઆત સાંભળી હતી. તેમજ વિવિધ બેન્કના અધિકારીઓએ બેન્કમાંથી સરળતાથી ઓછા વ્યાજ દરે લોન કેવી રીતે મેળવવી તેનું માર્ગ દર્શન આપેલ હતું. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ આર.ટી.આઇ.નો દૂર ઉપયોગ કરી તોડબાજ કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સાયબર ક્રાઇમની અવરનેશ જાગૃતતા વિગેરેની માહિતી પોલીસ અધિકારીઓએ આપી હતી.

error: Content is protected !!