જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસમાં એક લાઇબ્રેરી બનાવવાનું બજેટમાં મંજૂર કરવામાં આવ્યું છે. આ લાયબ્રેરી બનાવવા માટે જૂનાગઢના લોકોની વારંવાર રજૂઆતો હતી. છેલ્લે કમિશનર તુષાર સુમેરા પાસે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦માં લેખિતમાં એબીવીપીના કાર્યકરો સાથે રજૂઆત કરેલ ત્યારે કમિશનરે કહ્યું હતું કે ખૂબ જ સારી રજૂઆત છે. પહેલીવાર કોઈ સારા મુદ્દાની રજૂઆત થયેલ છે પરંતુ પછી આ લાઇબ્રેરી વિશે આગળ કાર્યવાહી થયેલી નહીં. જે તે સમયે આ લાઇબ્રેરીના રજૂઆતન્વયે દરેક વર્તમાન પત્રોએ પણ નોંધ લીધેલી. લાઇબ્રેરી એટલે માત્ર પુસ્તકો માટેની જ નહીં રાજકોટમાં રૈયા સર્કલ પાસે આવેલ બાબુભાઈ વેદ લાયબ્રેરી આનો ઉત્તમ ઉદાહરણ છે. આખી લાઇબ્રેરી સેન્ટર એસી ત્રણ મજલા ની આ લાઇબ્રેરી સમગ્ર ગુજરાતમાં કોઈપણ શહેરમાં ન હોય તેવી લાઇબ્રેરી રાજકોટમાં છે. બાળકો માટે વિદ્યાર્થીઓ માટે સીનીયર સીટીઝનો માટે અલગ અલગ વિભાગો છે. ચિલ્ડ્રન ટોયઝ વિભાગ જે બાળકો કીમતી રમકડા લઈને શકતા હોય તેઓને આ લાઇબ્રેરીમાંથી સાત દિવસ માટે રમવા માટે રમકડાં આપવામાં આવે છે. જીપીએસસી યુપીએસસી જેવી પરીક્ષાઓ માટે વિશાળ પુસ્તકોનો ભંડાર વાઇફાઇની સુવિધા કોમ્પ્યુટર ઉપર બેસીને વિદ્યાર્થીઓ કામ કરી શકે. સિનિયર સિટીઝનો માટે અલગ વ્યવસ્થા સ્ટુડન્ટ કોર્નર ભાઈઓ તેમજ બહેનોની અલગ વ્યવસ્થા આ લાયબ્રેરીની એકાદ વાર મુલાકાત લઇ અને જૂનાગઢને જો આવી લાઇબ્રેરી આપવામાં આવે તો લોકોને એક સારી સુવિધા મળશે. જૂનાગઢ મહાનગરપાલિકાના ૨૦ વર્ષ પછી પણ લોકોને એક પણ સારી સુવિધા મળેલ નથી ત્યારે લાઇબ્રેરી બનાવવાનું મહાનગરપાલિકા દ્વારા નક્કી જ કર્યું છે તે આવકારદાયક છે. આ અંગે કમિશનર તેમજ મેયરને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ મંત્રી જયંતીભાઈ સીલુ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.