સોમનાથ મંદિર કાળઝાળ ગરમીમાં યાત્રિકો-દર્શનાર્થીઓની સુવિધાઓ માટે સજ્જ

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર હાલ ઉનાળાની ચાલી રહેલ કાળઝાળ ગરમીના આકરા તાપ સામે સોમનાથ મંદિરે આવતા યાત્રિકો-દર્શનાર્થીઓ માટે રાહતરૂપ વિશેષ સુવિધાઓથી સજ્જ બન્યું છે. સોમનાથ મંદિર એન્ટ્રી ગેટથી મંદિર સુધીના પથને તથા દર્શન કર્યા બાદ પરત બહાર નીકળતા છેક ગેટ સુધી પેગોડા એટલે કે શંકુ આકારના સફેદ તંબુઓ સળંગ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત મંદિરના દિગ્વીજય દ્વાર નજદીક જુતા ઘર પહેલેથી જ રખાયેલ છે જેથી આકરા તાપમાં ચાલવું ન પડે. મંદિરના અંદરના ભાગે જયાં દર્શનાર્થીઓ દર્શન કરતા હોય છે ત્યાં એસી કાર્યરત છે જેથી ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ થાય. પીવાના પાણીના પોઈન્ટ પણ ગોઠવાયેલા છે. એવી જ રીતે અહલ્યાબાઈ સોમનાથ મંદિર ખાતે પણ ખુલ્લા દર્શન કરવા જતી વખતેના ભાગમાં સળંગ પેગોડા તંબુ લગાવાયેલા છે અને સફેદ કલરને કારણે તંબુ નીચે ચાલનારને ગરમી લાગતી નથી. બંને મંદિરોમાં કેટલાય પથમાં જાજમ પણ બિછાવવામાં આવી છે. સોમનાથ મંદિર એન્ટ્રી ગેટ પટાંગણમાં વેઈટીંગ કે જે લોકોનો પરિવાર દર્શન કરવા ગયો હોય અને પોતે બહાર સામાન સાચવતા કે થાક ઉતારતા હોય તેને માટે અનેક તંબુઓ બેસવાના બાંકડાઓની વ્યવસ્થા અને મેદાનમાં પીવાના પાણીના નળનો પોઈન્ટ ગોઠવાયેલ છે.

error: Content is protected !!