વેરાવળમાં કિંમતી જમીનનો લેઆઉટ પ્લાન પાસ કરાવવા બોગસ માપણી સીટ રજુ કર્યાના કૌભાંડનો પર્દાફાશ થયો

0

જીલ્લા કલેક્ટરએ તપાસ કરાવતા અંગત ફાયદા માટે કોડીનારના ચાર શખ્સોએ કૌભાંડ આચાર્યુ હોવાનો ઘટસ્ફોટ થયો :ડીએલઆર અધિકારીએ એક મહિલા સહિત ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાવતા ચકચાર

વેરાવળમાં કરોડોની કીમતી જમીનનો લેઆઉટ પ્લાન પાસ કરાવવા કોડીનારનિબએક મહિલા સહિત ચાર શખ્સોએ છેડછાડ કરેલી બોગસ માપણી સીટ રજૂ કરી પાલિકા પાસેથી લેઆઉટ પ્લાનની મંજૂરી મેળવી લીધા હોવાનો ઘટસ્ફોટ જીલ્લા કલેકટરની તપાસમાં થતા ચારેય શખ્સો સામે ગુનો નોંધાવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા મંજૂર થયેલ લે આઉટ પ્લાનને રદ કરવા કાર્યવાહી હાથ ધરી હોવાનું જીલ્લા કલેકટરે જણાવેલ છે. આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર વેરાવળના પ્રભાસ પાટણના સર્વે નં.૮૪૨/બ/પૈકીની જમીનમાં ફાયદો મેળવવા સરકારી રેકર્ડની માપણી શીટમાં છેડછાડ કરી લેઆઉટ પ્લાન મંજુર કરાવ્યો હોવા અંગે જાગૃત નાગરીકએ લેખીત ફરીયાદ કરી હતી. જેને જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીને તપાસ કરી રીપોર્ટ કરવા સુચના આપી હતી. આ મામલાની થયેલ તપાસમાં કોડીનારના રહેવાસી ભરત અતુલકુમાર ઠકરાર, હિતેશ ધીરજલાલ ઠકરાર, મનોજ ધીરજલાલ ઠકરાર અને હંસાબેન રવજીભાઈ પોપટ નામના શખ્સોએ દ્વારા પોતાના અંગત ફાયદા માટે તેઓની સર્વે નં.૮૪૨/બ/પૈકીની બિન ખેતી જમીનનો લે આઉટ પ્લાન મંજૂર કરાવવા માટે આ સર્વે નંબરની પશ્રિમ દિશામાં આવેલ ૧૦ મીટરના રસ્તાને ડી .આઈ.એલ.આર. કચેરી દ્વારા ઈસ્યુ કરાયેલ સરકારી માપણીશીટમાં છેડછાડ કરીને ૧૮ મીટરનો બતાવી ખોટું ડોક્યુમેન્ટ ઉભું કરીને ખોટું ડોક્યુમેન્ટ હોવાનું જાણવા હોવા છતાં તેની લે આઉટ પ્લાનની વેરાવળ પાલિકામાંથી મંજૂરી મેળવવા સાચા તરીકે ઓનલાઇન અપલોડ કરેલ હોવાની હક્કીત જાણવા મળી હતી. આ મામલે જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવેલ કે, સરકારી રેકર્ડમાં છેડછાડ થઈ હોવાનો રીપોર્ટ રજુ મળેલ જેના આધારે ડી.આઈ.એલ.આર. ના અધિકારી દ્વારા કોડીનારના ભરત અતુલકુમાર ઠકરાર, હિતેશ ધીરજલાલ ઠકરાર, મનોજ ધીરજલાલ ઠકરાર અને હંસાબેન રવજીભાઈ પોપટ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ- ૩૧૬(૨), ૩૧૮(૩), ૩૩૬(૩),૩૪૦(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કિસ્સામાં પ્રથમ દ્રષ્ટિએ બોગસ માપણી સીટથી મંજુર કરાવેલ લેઆઉટ પ્લાન રદ કરવા કાર્યવાહી હાથ ધરી છે. આવા રીતે અન્ય કિસ્સાઓમાં પણ મંજૂરી લેવાઈ હશે તો તેની પણ તપાસ કરવા સુચના આપી છે.
અપાયેલ મંજુરીઓની તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવવાની ચર્ચા
આધારભૂત સુત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ પાલિકાના આઉટ ગ્રોથ (ઓ. જી.) વિસ્તારમાં નવી ટીપી સ્કીમના અમલીકરણ માટે ડી.પી.આર. તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેથી સરકાર કક્ષાએથી આ વિસ્તારમાં ઝોનિગ નક્કી થયા બાદ લે આઉટ અથવા બાંધકામ મંજૂરી આપવાના નિર્દેશનો પાલિકા તંત્ર દ્વારા સામાન્ય લોકો માટે નિયમો લાગુ કર્યા છે. પરંતુ થોડા સમય પૂર્વે ચોક્કસ લોકોના લે આઉટ પ્લાન અને બાંધકામ મંજૂરીઓ આપી દેવામાં આવી છે. જેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે ત્યારે આજે કૌભાંડનો ગુનો નોંધાયા બાદ જાે ઉંડી અને તટસ્થ તપાસ હાથ ધરાય તો વધુ મોટા કૌભાંડોનો પર્દાફાશ થાય તેવું પણ ચર્ચાઈ રહ્યુ છે.

error: Content is protected !!