ખંભાળિયામાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

0

વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જાેડાયા

વૈષ્ણવોના પૂજનીય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના ૫૪૮ માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ખંભાળિયામાં ગઈકાલે ગુરૂવાર તારીખ ૨૪ ના રોજ સવારે પ્રભાત ફેરી સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખંભાળિયા સ્થિત મહાપ્રભુજીની ૫૭ ની બેઠકજી ખાતે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી દરમિયાન રાજભોગના દર્શનમાં તિલક આરતી તેમજ સાંજે ડોલરની ફુલ મંડલીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રભુજીની વિશાળ શોભાયાત્રા અત્રે બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલી ખાતેથી નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ-બહેનો કેસરી વસ્ત્રો પરિધાન કરીને જાેડાયા હતા. સાંજે મહાપ્રભુજીની બેઠકજી ખાતે આ શોભાયાત્રા સંપન્ન થઈ હતી.

error: Content is protected !!