દ્વારકામાં ચૈત્ર વદ અગિયારસને ગુરૂવારના રોજ પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૮મો પ્રાગટ્ય મહોત્સવ પુ.પા.ગો. કાલિન્દીવહુજી નટવરગોપાલજી મહારાજ તથા લાલનશ્રી નૃસિંહલાલજી નટવરગોપાલજી મહારાજ (પોરબંદર-વેરાવળ-દ્વારકા-બરડીયા બેઠકજી તથા કંપાલા હવેલી)ની અધ્યક્ષતામાં ધામધૂમપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. દ્વારકાના ગોમતી કુંડના બેઠકજીએ મહાપ્રભુજીની વરણાગી (શોભાયાત્રા) સાંજે ૫:૦૦ કલાકે ર્કિતન મંડળી સાથે વાજતે ગાજતે પ્રસ્થાન થઈ શાક માર્કેટ ચોકથી નવી હવેલીએ પધારશે જયાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ ધાર્મિક અવસરે ઓખામંડળ તથા બારાડી પંથકના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ પરિવારો ઉપસ્થિત રહયા હતા. નવી હવેલી ખાતે સવારે ૧૦ કલાકથી કાલિન્દી વહુજી મહારાજના હસ્તે વલ્લભાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિ:શુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંજે ગોમતી ઘાટ પર બિરાજતા મહાપ્રભુજીની બેઠકજી ખાતે વિશેષ પાઠ-પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોને ઉપસ્થિત રહ્યા હતા.