અમદાવાદ ખાતે શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ ટ્રસ્ટની જૂનાગઢનાં નટુભાઈ ચોક્સીની આગેવાની હેઠળ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ટ્રસ્ટના ફેરફાર રીપોર્ટ નં.૨૯૯/૨૦૨૦ને નાયબ ચેરિટી કમિશનર અમદાવાદ પ્રદેશ દ્વારા તા.૨૯-૩-૨૦૨૫ના હુકમથી નામંજૂર કરાયો હતો. પરિણામે ઉપરોક્ત પબ્લિક ટ્રસ્ટના પી. ટી.આર રજિસ્ટરમાં કોઈ ટ્રસ્ટીઓ રહ્યા નથી. જેથી આ અભૂતપૂર્વ સંજાેગોમાં શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ ટ્રસ્ટના સર્વે આજીવન સભ્યો અને હિતાધિકારીઓની સામાન્ય જાહેરસભા યોજાઈ હતી. જે બાબતે નટુભાઈ ચોક્સીએ માહીતી આપતાં જણાવ્યું હતું કે શ્રી અખિલ શ્રીમાળી સોની મહામંડળ(અમદાવાદ) રજીસ્ટ્રેશન નં. છ/૮૮૬ તેમજ મુંબઈ રજીસ્ટ્રેશન નં.છ/૧૧૦૫ના ૧૯૫૨ના બંધારણ મુજબ અમદાવાદ મુકામે રાજકોટના દીલીપભાઇ રાણપુરાની ચુંટણી અધિકારી તરીકે નિમણૂક કરી તેમના વડપણ હેઠળ ૫૨ મહા સમિતિ સભ્યની ચૂંટણી દ્વારા નિમણૂક કરાઈ. આ ટ્રસ્ટમાં ટોટલ ૫૨ સભ્યો છે. ત્યારબાદ મહામંડળના ટ્રસ્ટી તરીકે ૭ ટ્રસ્ટીઓની નિમણૂક કરાઈ જેમાં હોદ્દેદાર તરીકે પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ટ્રસ્ટીઓ, સ્ત્રી અનામત સદખજાનચી, ખજાનચી, સહમંત્રી, જાગૃતિ તંત્રી, જાગૃતિ સહાયક, બોમ્બે બેઠક અનામત, કાઠિયાવાડ બેઠક અનામત, કચ્છ બેઠક અનામત, દાતા પ્રતિનિધિ તથા મહાસમિતિ સભ્યની વરણી કરાઈ હતી. મહામંડળના ચેરિટી કમિશનની ઓફિસમાં માન્ય બંધારણ જે વર્ષ ૧૯૫૨નું છે અને જેની નોંધ ચેરીટી કમિશનરના ઓફિસના પી.ટી.આરની નકલમાં નોંધાયેલ છે. તે મુજબ ચૂંટણીઓ કરાવવામાં આવેલ હતી અને ત્યાર બાદ ચૂંટાયેલા મહા સમિતિ સભ્યો અને ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની ચૂંટણી પૂરી થઈ હતી તથા ચૂંટણી અધિકારી તરીકેની પણ નિમણૂક કરવામાં આવી હતી. વધુમાં નટુભાઈ ચોક્સીએ ખાસ જણાવ્યું હતું કે આ યોજાયેલી ચૂંટણીમાં અત્યારસુધીમાં મહામંડળનાં પ્રમુખ તરીકે મહીલાની પ્રથમવાર નિમણૂક કરવામાં આવી હતી. જેમાં રાજકોટનાં શ્રીમતી પુનિતાબેન પારેખની મહામંડળનાં પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સાથે અમદાવાદનાં ચેતનભાઈ જીજુવાડીયા જેઓ હાઇકોર્ટમાં એડવોકેટ છે તેઓની નિમણૂક ઉપપ્રમુખ તરીકે કરવામાં આવી હતી. વધુમાં ટ્રસ્ટનાં આજીવન સભ્ય બલદેવકુમાર શાંતીલાલ સોનીએ જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ અમારા વડીલોએ જરૂરીયાતમંદ લોકોની સેવા અને સહાય કરવા માટે બનાવેલ છે. જેમાં અમુક અસામાજિક તત્વોએ ૧૯૬૦માં આ ટ્રસ્ટનો કબજાે ગેરબંધારણીય રીતે મેળવી લીધો હતો અને ગેરબંધારણીય બંધારણ બનાવી ટ્રસ્ટને ચલાવી રહ્યા હતા. આ બાબતે અમને ખ્યાલ આવતા ૨૦૧૭માં ૨૯૯/૨૦૨૦ માં રીપોર્ટ ભરેલ હતો તેની સામે મે તથા મારી સાથે આઠ આજીવન સભ્યોએ વાંધા લીધેલ હતાં અને ચેરીટી કમિશ્નર પાસે લીગલ પુરાવાઓ રજું કરતા ચેરીટી કમિશ્નરે આ ફેરફાર રીપોર્ટ નામંજૂર કરેલ હતો. આ ફેરફાર રીપોર્ટ નામંજૂર થતાં ટ્રસ્ટની કરોડો રૂપિયાની મિલ્કતો અને કરોડો રૂપિયાની ફીક્સ ડીપોઝીટો સાથે અમારા ટ્રસ્ટ દ્વારા ચાલતી સહાયો અને બેંક એકાઉન્ટનાં વહીવટો કોઈ ટ્રસ્ટીઓ કે પદાધિકારીઓ કરી શકે તેવી સ્થિતિમાં ના હોય અમો આજીવન સભ્યોએ ભેગા મળીને ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી અમારાં ટ્રસ્ટનાં આજીવન સભ્યોને બોલાવી મિટીંગ કરતા આજીવન સભ્યો દ્વારા બાવન સભ્યો અને સાત ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપસ્થિત મહા સમિતિ સભ્યો ટ્રસ્ટીઓ હોદ્દેદારોની શપથવિધિ મહામંડળના ભૂતપૂર્વ પ્રમુખ ચોકસી નટુલાલ વછરાજ(જૂનાગઢ વાળા)એ કરાવેલ હતી.