ગુજરાત રાજયના ટુરીઝમ વિભાગના સેક્રેટરી ડો.રાજેન્દ્રકુમારે દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવ્યું

0

હેલીપેઈડ, શિવરાજપુર બીચની મુલાકાત : અધિકારીઓ સાથે ચર્ચા : કોરીડોરના ભણકારા

ગુજરાત રાજયના ટુરીઝમ વિભાગના ટુરીઝમ, દેવસ્થાનમ મેનેજમેન્ટ અને સીવીલ એવીએશન એન્ડ પીલગ્રીમેજ વિભાગના સેક્રેટરી ડો.રાજેન્દ્ર કુમાર (આઈ.એસ.એસ.) એ આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે જગતમંદિરની મુલાકાત લઈ દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું હતું. બાદમાં દેવસ્થાન સમિતિ કચેરી ખાતે એસ.ડી.એમ. અમોલ આવટે તથા મંદિર વહીવટદાર હિમાંશુ ચૌહાણ સાથે વિશેષ મુલાકાત કરવામાં આવી હતી જયાં તેઓનું દ્વારકાધીશનું ઉપરણું ઓઢાડી છબી અર્પણ કરી સન્માન કરાયું હતું. બાદમાં તેઓએ રૂક્ષ્મણી મંદિર પાસેના હેલીપેઈડ ગ્રાઉન્ડ તથા શિવરાજપુર બીચની પણ વીઝીટ કરી આધિકારીક ચર્ચાઓ કરી હતી. થોડા સમય પૂર્વે દ્વારકા કોરીડોર પ્રોજેકટનો ત્રણ તબકકે વિકાસ થવાના સમાચારો વહેતા થયા બાદ ઉચ્ચ અધિકારીની આજની વિઝીટથી આગામી જન્માષ્ટમી સુધીના સમયમાં કોરીડોર પ્રોજેકટનો શુભારંભ થઈ શકે તેવા સંકેતો સાથેના તર્ક-વિતર્ક વહેતા થયા છે. જાેકે આ અંગે હજુ સુધી કોઈ જ આધિકારીક ઘોષણા કરવામાં આવી નથી.

error: Content is protected !!