રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીની અધ્યક્ષતામાં સરસ મેળાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો પહલગામ દુર્ઘટનાના દિવાંગતોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ : ૪ મે સુધી આયોજિત સરસ મેળામાં ૫૦ ક્રાફટ સ્ટોલ અને ૧૧ લાઈવ ફૂડ સ્ટોલ મળીને કુલ ૬૧ સ્ટોલ ઉપલબ્ધ રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે તા. ૨૫ એપ્રિલના રોજ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીની અધ્યક્ષતા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની વિશેષ ઉપસ્થિતિમાં “સરસ મેળા-૨૦૨૫”નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મહાનુભાવોએ રીબીન કટ કરીને સરસ મેળાને જનતા માટે ખૂલ્લો મૂક્યો હતો તેમજ મેળાની મુલાકાત લીધી હતી. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, સ્ત્રીને જગદંબાનું સ્વરૂપ મનાય છે. દરેક નારીમાં શક્તિનો ધોધ સમાયેલો છે. ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓના ૧૬ શણગાર અને ૬૪ કળાનું અનેરૂ માહાત્મ્ય છે. ત્યારે સખી મેળા મહિલાઓમાં રહેલી સુષુપ્ત કલાઓને ખીલવવાનું માધ્યમ બન્યા છે. સફળતાનો માર્ગ સરળ નથી, બહેનો અનેક પડકારોનો સામનો કરીને પરિવાર અને રોજગારની જવાબદારી નિભાવતી હોય છે, જે ધન્યવાદને પાત્ર છે. સશક્ત ભારતના નિર્માણમાં આર્ત્મનિભર નારીનું યોગદાન જરૂરી છે. કારણ કે મહિલાઓ પગભર બનશે તો તેમના થકી પરિવાર, પરિવાર થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્રની પ્રગતિ થશે. ત્યારે બહેનોને અનુરોધ છે કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે પોતાની આસપાસની મહિલાઓને પણ જાગૃત કરે તથા તેઓને આર્થિક પગભર બનાવવા સખી મંડળોમાં જાેડાવવાની પ્રેરણા આપે. રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે મહિલા સશક્તિકરણ પર ભાર મુકતા જણાવ્યું હતું કે, વર્તમાનમાં તમામ ક્ષેત્ર મહિલાઓ આર્ત્મનિભર બની રહી છે. દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ તથા કેન્દ્રીય નાણા મંત્રીનું પદ મહિલાઓથી શોભી રહ્યું છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી હજારો રૂપિયાની કમાણી થકી બહેનો પોતાના પરિવાર માટે આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ સરસ મેળો રાજકોટના પ્રાઈમ લોકેશન પર હોવાથી બહેનોને બહોળા વેચાણનો લાભ મળશે, તેમ જણાવતા દર્શિતાબહેને ઉમેર્યું હતું કે, બહેનો તદ્દન નિ:શુલ્ક રીતે આ મેળામાં ભાગ લઈ શકે છે સાથોસાથ વેકેશનના માહોલના કારણે વધુને વધુ રાજકોટવાસીઓ આ મેળાની મુલાકાત લેશે, જે સખી મંડળની મહિલાઓ માટે ફાયદાકારક રહેશે. આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આજીવિકા મિશન મંગલમના અધિકારીશ્રી વી. બી. બસીયાએ શાબ્દિક સ્વાગત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમમાં પહલગામ દુર્ઘટનાના દિવંગતોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા ૦૪ મે સુધી આયોજિત સરસ મેળામાં ૫૦ ક્રાફટ સ્ટોલ અને ૧૧ લાઈવ ફૂડ સ્ટોલ મળીને કુલ ૬૧ સ્ટોલ ઉપલબ્ધ છે. સરસ મેળામાં ઓનલાઇન ડ્રો થકી ગુજરાતના તમામ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વસતા અને આર્થિક પ્રવૃત્તિ સાથે જાેડાયેલા સ્વસહાય જૂથોને સ્ટોલનો લાભ મળ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાના કુલ ૨૨ સ્વસહાય જૂથોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર દ્વારા સ્ટોલધારકો માટે વિનામૂલ્યે રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદ સુરેશ ગોવિંદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, સખી મંડળની બહેનો તથા સ્ટોલધારકો ઉપસ્થિત રહ્યાં હતાં.

0

પહલગામ દુર્ઘટનાના દિવાંગતોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ : ૪ મે સુધી આયોજિત સરસ મેળામાં ૫૦ ક્રાફટ સ્ટોલ અને ૧૧ લાઈવ ફૂડ સ્ટોલ મળીને કુલ ૬૧ સ્ટોલ ઉપલબ્ધ

રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે તા. ૨૫ એપ્રિલના રોજ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીની અધ્યક્ષતા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની વિશેષ ઉપસ્થિતિમાં “સરસ મેળા-૨૦૨૫”નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મહાનુભાવોએ રીબીન કટ કરીને સરસ મેળાને જનતા માટે ખૂલ્લો મૂક્યો હતો તેમજ મેળાની મુલાકાત લીધી હતી. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, સ્ત્રીને જગદંબાનું સ્વરૂપ મનાય છે. દરેક નારીમાં શક્તિનો ધોધ સમાયેલો છે. ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓના ૧૬ શણગાર અને ૬૪ કળાનું અનેરૂ માહાત્મ્ય છે. ત્યારે સખી મેળા મહિલાઓમાં રહેલી સુષુપ્ત કલાઓને ખીલવવાનું માધ્યમ બન્યા છે. સફળતાનો માર્ગ સરળ નથી, બહેનો અનેક પડકારોનો સામનો કરીને પરિવાર અને રોજગારની જવાબદારી નિભાવતી હોય છે, જે ધન્યવાદને પાત્ર છે. સશક્ત ભારતના નિર્માણમાં આર્ત્મનિભર નારીનું યોગદાન જરૂરી છે. કારણ કે મહિલાઓ પગભર બનશે તો તેમના થકી પરિવાર, પરિવાર થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્રની પ્રગતિ થશે. ત્યારે બહેનોને અનુરોધ છે કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે પોતાની આસપાસની મહિલાઓને પણ જાગૃત કરે તથા તેઓને આર્થિક પગભર બનાવવા સખી મંડળોમાં જાેડાવવાની પ્રેરણા આપે. રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે મહિલા સશક્તિકરણ પર ભાર મુકતા જણાવ્યું હતું કે, વર્તમાનમાં તમામ ક્ષેત્ર મહિલાઓ આર્ત્મનિભર બની રહી છે. દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ તથા કેન્દ્રીય નાણા મંત્રીનું પદ મહિલાઓથી શોભી રહ્યું છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી હજારો રૂપિયાની કમાણી થકી બહેનો પોતાના પરિવાર માટે આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ સરસ મેળો રાજકોટના પ્રાઈમ લોકેશન પર હોવાથી બહેનોને બહોળા વેચાણનો લાભ મળશે, તેમ જણાવતા દર્શિતાબહેને ઉમેર્યું હતું કે, બહેનો તદ્દન નિ:શુલ્ક રીતે આ મેળામાં ભાગ લઈ શકે છે સાથોસાથ વેકેશનના માહોલના કારણે વધુને વધુ રાજકોટવાસીઓ આ મેળાની મુલાકાત લેશે, જે સખી મંડળની મહિલાઓ માટે ફાયદાકારક રહેશે. આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આજીવિકા મિશન મંગલમના અધિકારીશ્રી વી. બી. બસીયાએ શાબ્દિક સ્વાગત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમમાં પહલગામ દુર્ઘટનાના દિવંગતોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા ૦૪ મે સુધી આયોજિત સરસ મેળામાં ૫૦ ક્રાફટ સ્ટોલ અને ૧૧ લાઈવ ફૂડ સ્ટોલ મળીને કુલ ૬૧ સ્ટોલ ઉપલબ્ધ છે. સરસ મેળામાં ઓનલાઇન ડ્રો થકી ગુજરાતના તમામ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વસતા અને આર્થિક પ્રવૃત્તિ સાથે જાેડાયેલા સ્વસહાય જૂથોને સ્ટોલનો લાભ મળ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાના કુલ ૨૨ સ્વસહાય જૂથોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર દ્વારા સ્ટોલધારકો માટે વિનામૂલ્યે રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદ સુરેશ ગોવિંદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, સખી મંડળની બહેનો તથા સ્ટોલધારકો ઉપસ્થિત રહ્યાં હતાં.

error: Content is protected !!