માંગરોળ નાંદોલા પરિવારમાં નેત્રદાન થયું છે

0

તા.૨૯-૪-૨૫ના સંધ્યા સમયે સુરેન્દ્રભાઈ મગનલાલ નાંદોલા ગૌલોકવાસી થતાં પરિવાર દ્વારા સદગતનું ચક્ષુદાન કરવાનો વિચાર સેવાભાવી એવા પ્રફુલ્લ કાકા નાંદોલા સામે વ્યક્ત કરતાં કાકા દ્વારા આરેણા શિવમ્ ચક્ષુદાન કેન્દ્રને નેત્ર કલેક્શન માટે જાણ કરી હતી. ચક્ષુદાન માટે અધ્યારૂ હોસ્પિટલના હર્દિપસિંહ જેઠવાએ આવી સ્વર્ગસ્થ સુરેન્દ્રભાઈના ચક્ષુદાનનું કલેક્શન કર્યું હતું. આ ચક્ષુદાનનો સ્વિકાર વડિલ પ્રફુલ કાકા દ્વારા કરવામાં આવ્યો હતો અને આઈ બેંકએ ચક્ષુદાન પહોંચાડવાની વ્યસ્થાને જવાબદારી અરૂણભાઈ સોલંકી દ્વારા નિભાવેલ છે. આ સમયે મહેશભાઈ મેરવાણા દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન કરેલ છે. ચક્ષુદાનનો ર્નિણય જીગ્નેશભાઈ નાંદોલા અને રૂપેશભાઈ નાંદોલા દ્વારા પોતાના પરિવારના મોભીની દ્રષ્ટિ અમર બનાવા માટે કરવામાં આવ્યો હતો અને સદગતના નેત્રોથી બે અંધજનોને જીવનમાં દ્રષ્ટિરૂપી પ્રકાશ પથરાશે.

error: Content is protected !!