શ્રીજીને વિશેષ ભોગ કેરીનો મુરબ્બો, ચણાની દાળ, કેરીનો રસ, જેવા ઠંડક વ્યજનો ધારાવાશે
યાત્રાધામ દ્વારકામાં આવેલા ભગવાન શ્રી દ્વારકાધીશજીને અખાત્રીજથી એક માસ સુધી વિશિષ્ટ શિગાર કરવામાં આવે છે. શ્રીજીને ઉનાળાના આકરા તાપમા ગરમીથી રાહત રહે તે માટે અષાઢી બીજ સુધી પુષ્પો સિંગાર કરવામાં આવશે તેમજ અખાત્રીજ જે ચંદનના વાધાનો શુંગાર કરાશે. ત્યારે શ્રીજીના દર્શન આવતા ભાવિકોમાં ઉત્સાહ જાેવા મળ્યો છે. ભગવાન દ્વારકાધીશ તેમજ અન્ય વૈષ્ણવો સંપ્રદાયના મંદિરમાં પ્રભુને ગરમીની મોસમમાં કષ્ટ ના પડે અને વધુ સારી સુખાકારીમાં પ્રભુ રોહે તેવી ભાવનાથી પૂજારીઓ દ્વારા ચંદન લેપ કરી ચંદન વાંકાના મનમોહન શૃંગાર કરવામાં આવે છે. ચંદનના શૃંગાર બાદ શ્રીજીને વિશેષ ભોગ કરવામાં આવે છે. જેમાં કેરીનો મુરબ્બો, ચણાની દાળ, કેરીનો રસ જેવા ભાત ભરીને ઠંડક આપે તેવા વ્યોજનો પ્રભુને ધરવામાં આવે છે. બપોરે અખાત્રીજના ઉત્સવ નિમિત્તે શ્રીજીને વિશેષ આરતી કરવામાં આવશે. આરતી બાદ પ્રભુએ આરોગેલ ગરમાળાનો પ્રસાદ ભાવિકોને પ્રસાદી રૂપે અપાશે. અખાત્રીજ થી રથયાત્રા સુધી શ્રીજીને સવારના શૃંગારમાં ડબલ પીછોડબંધ પરધની ધોતી. ઉપરના તથા મલકાછ ઉષ્ણકાલિન શુંગાર કરવામાં આવે છે. સાથે મોતી છીપ ચંદન વગેરે અલંકાર ધરાવાશે. શ્રીજીને પીછવાઇ વગેરેમાં ભીતરમાં ખર્ચની સાદડી બાંધી તેમાં જળનો છંટકાવ કરી શ્રીજીને સુખાકારીનો ભાવ કરવામાં આવશે. તેમજ સાંજના સાત વાગ્યે તિથિ મુજબના પરંપરા અનુસાર ડોલર, જુઈ, ચમેલી, મોગરા, વગેરે પુષ્પનો શૃંગાર કરવામાં આવશે.
અક્ષય તૂતીયા નિમિત્તે આજે દ્વારકાધીશ મંદિરે શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર
દ્વારકા જગત મંદિરે આજે વૈશાખ સુદ ૦૩(ત્રીજ)ના દિવસે અક્ષય તૃતીયા ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે. શ્રીજી ની સવારે ૬:૩૦ વાગે મંગલા આરતી થશે. સવારે ૬:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી મંગળા દર્શન થશે. સોવારા ૮ થી ૯ સુધી શ્રીજીને સ્નાન (દર્શન બંધ) રહેશે. સવારે ૯:૦૦ થી ૧૦ સુધી શુંગાર દર્શન થશે. ૧૦ થી ૧૨ દર્શન બંધ રહેશે. બપોરે ૧૨:૦૦ વાગ્યે અક્ષય તૃતીયા નિમિત્તે શ્રીજીને વિશેષ ઉત્સવ આરતી થશે. શ્રીજીના ઉત્સવ દર્શન બપોરે ૧૨:૦૦ થી ૦૧:૩૦ વાગ્યા સુધી થશે. બપોરે ૧:૩૦ થી સાંજે પાંચ સુધી અનોસર(દર્શન બંધ) રહેશે. શ્રીજીના સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.