સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં અખાત્રીજ નિમિતે યોજાયો ભવ્ય આમ્રોત્સવ એવં ૨૦૦૦થી વધુ કિલો કેરીનો અન્નકૂટ

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૩૦-૪-૨૦૨૫ને બુધવાર, અખાત્રીજ(અક્ષયતૃતીયા) એવં પરશુરામ જયંતી નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ જરદોશી વર્કવાળા વાઘાનો શણગાર કરાયો છે. સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. શ્રી હનુમાનજી દાદાને કેરીઓ ધરાવી તથા દાદાના સિંહાસનને કેરીઓ દ્વારા શણગાર એવં ૨૦૦૦થી વધુ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યો હતો. દાદાના વિશેષ આમ્રોત્સવ દર્શનનો લાભ અનેક હરિભકતોએ લઈ ધન્યતા અનુભવી હતી. પૂજારી સ્વામીએ જણાવ્યા મુજબ, આજે અખાત્રીજના પવિત્ર દિવસે દાદાને કચ્છ, ગીર અને વલસાડની કેરી સાળંગપુરની વાડીની ૨૦૦૦થી વધુ કિલો કેરીનો અન્નકૂટ અને શણગાર કરાયો છે. આ કેરીનો પ્રસાદ અને રસ સમઢિયાળામાં આવેલા આશ્રમમાં મંદબુદ્ધિના બાળકોને આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં સાળંગપુરમાં ભોજનાલયમાં પણ આ કેરીનો રસ ભક્તોને પીરસવામાં આવશે. આ ઉપરાંત વૃંદાવનમાં ૨૦ દિવસની મહેનતે બનેલા જરદોશી વર્કવાળા વાઘા દાદાને પહેરાવ્યા છે જેમાં ફુલની ડિઝાઈન છે.

error: Content is protected !!