જેસીઆઈ જૂનાગઢ દ્વારા કાશ્મીરમાં આંતકવાદીઓ દ્વારા થયેલા હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ

0

શ્રી સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે પૂર્વચેરમેન દેવનંદન સ્વામી, ચેરમેન. પી.પી. સ્વામી, કોઠારી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીના સહયોગથી કાશ્મીરમાં પહેલગાવ આંતકવાદીઓ દ્વારા હુમલામાં મૃત્યું પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પાલવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાની તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, કોર્પોરેટર પ્રવીણ વાઘેલા, પ્રદીપ જેઠવા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જાેશી, કાર્યકારી શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, કોર્પોરેટર કેશુભાઈ ઓડેદરા તેમજ તેમની ટીમ શ્રી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી તેમજ કડિયા સમાજના યુવા પ્રમુખ વિવેક ગોહેલ, માજી સૈનિક સેવા સંગઠન જૂનાગઢ પ્રમુખ પરમાર તથા તેમની ટીમ તેમજ મંદિરના સંત માધવદાસજી સ્વામી તથા પૂજનીય સંતો દ્વારા શ્રદ્ધાંજલિના પુષ્પો અર્પણ કરી તેમના આત્માને શાંતિ માટે મહારાજને પ્રાર્થના કરેલ હતી. વિશેષમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દ્વારા તેમજ બાળકોએ પણ શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કરેલ હતી. ઉપરોક્ત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જેસીઆઈ જૂનાગઢ ડાયરેકટર જેસી કિશોર ચોટલીયાના માર્ગદર્શન સાથે જેસી સેક્રેટરી જગદીશ મદનાની, જેસી વિરલ કડેચા, જેસી ચિરાગ કડેચા, જેસી વિજય ચાવડા, જેસી કેતન ચોલેરા, જેસી જે.કે. કણસાગરા, જેસી અભિષેક શિશાંગીયા વગેરે દ્વારા જાહેમત ઉઠાવવામાં આવેલ હતી.

error: Content is protected !!