શ્રી સમસ્ત હિંદુ ધોબી સમાજ યુવક મંડળ જૂનાગઢ તથા શ્રી સોરઠીયા ધોબી સમાજ જેતપુર દ્વારા ભવનાથ ખાતે ભારતી આશ્રમમાં મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

0

સૌરાષ્ટ્ર અને ગુજરાતના ૧૯૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો : બીજાનું જાેઈને સપનાની ઈમારત ચણતા નહીં : મનસુખભાઈ વાજા

તારીખ ૨૭-૪-૨૫ના રોજ ભારતી આશ્રમ-ભવનાથ જૂનાગઢ ખાતે શ્રી સમસ્ત હિંદુ ધોબી સમાજ યુવક મંડળ તથા શ્રી સોરઠીયા ધોબી સમાજ જેતપુર દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ધોબી સમાજના ધોરણ ૧૨ પછીના ૧૯૦ વિદ્યાર્થીઓએ મોટીવેશનલ સેમિનારમાં ભાગ લીધો હતો. જેમાં ભારતી આશ્રમના ૧૦૦૮ શ્રી મહાદેવ ભારતી બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો. જેમાં કારકિર્દીના આરંભે વિદ્યાર્થીઓએ કયા ક્ષેત્રમાં આગળ વધવું તેમ જ સફળતા મેળવવા શું કરવું, તેનું સચોટ અને ઉદાહરણ સાથે ડબલ વખત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી બલદેવપુરી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવેલ છે. સમારંભના અધ્યક્ષ મનસુખભાઈ વાજાએ જણાવેલ કે બીજાનું જાેઈને સપનાની ઈમારત ચણતા નહીં. તમે તમારા કૌશલ્યના આધારે ર્નિણય કરજાે, જેથી યોગ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. અંકિતભાઈ ચુડાસમાએ જીએસટી વિશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના દરેક પાસા આવરી લઈ સચોટ માર્ગદર્શન આપેલું હતું. કાંતિભાઈ વાજાએ જીવનમાં યોગની ઉપયોગીતા વિશે માહિતી આપેલ તેમજ ભાવેશભાઈ ગોહેલ દ્વારા કોમર્સ ક્ષેત્રમાં કારકિર્દીને અનુલક્ષીને માર્ગદર્શન આપેલ હતું. તેમજ બીજલબેન પરમાર દ્વારા સ્કીલ ડેવલોપમેન્ટને લગતી માહિતી આપેલ હતી. કેયુરભાઈ વાળાએ આઈટી( ઇન્ફોર્મેશન ટેકનોલોજી) વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ હતા. આ કાર્યક્રમમાં ખાસ શશીકાંતભાઈ ચુડાસમા (નિવૃત ડાયરેક્ટર – ગાંધીનગર)એ વિદ્યાર્થીઓને કારકિર્દીને સફળ બનાવવા જીવનનો ગોલ યાને ધ્યેય બનાવવા માટે સમજણ આપેલ હતી. આ કાર્યક્રમ તેમણે ખુબજ ખંતથી પુરો કરવા માટે કમર કસી હતી. તેમજ ધીરૂભાઈ ગોહેલ, ધર્મેશભાઈ દૂસારા, વીપીનભાઇ પરમાર, રમણીકભાઈ મોડાસિયા, રણછોડભાઈ સોલંકી, રમેશભાઈ વાળા, રાજેશભાઈ પરમાર, મુકેશભાઈ વાજા, ગોવિંદભાઈ સોલંકી, રસિકભાઈ ચુડાસમા, ધવલભાઇ પરમાર, મીનાબેન દુસારા, રમાબેન ચુડાસમા, નરેન્દ્રભાઈ પરમાર, સતિષભાઈ ચુડાસમા, રાજુભાઈ ચૌહાણ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બલદેવપુરી, ધીરૂભાઈ મારૂ, વિનુભાઈ સોલંકી, મધુભાઈ વાળા, દક્ષાબેન પરમાર, જેનતીભાઈ શાપર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જમણવારના ખર્ચ પેટે ભોજનના દાતા હીરાબેન રમેશભાઈ પરમાર દ્વારા રૂપિયા ૨૧,૦૦૦ મળેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનસુખભાઈ વાજા, મનસુખભાઈ જેઠવા, રમેશભાઈ ગોહેલ, પ્રજ્ઞેશભાઈ વાજા, જીગ્નેશભાઈ વાઘેલા, જગદીશભાઈ ગોહેલ, છોટુભાઈ વાજા, અલ્પેશભાઈ પરમાર, અનિલભાઈ ગોહેલ, હસુભાઈ મારૂ વિગેરેએ જહેમત ઉઠાવીને પ્રસંગને દીપાવવા માટે કમર કસી હતી.

error: Content is protected !!