માધવપુરના ડો.આંબેડકર ચોકમાંથી બીજી મેના રોજ ગેરકાયદે બાંધકામો પર બુલ્ડોજર ફેરવાશે

0

માધવપુરમાં ડો. આંબેડકર ચોકમાંથી ગેરકાયદે દબાણ હટાવવા આડે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તંત્રની ચુપકીદી સામે ઉઠતા અનેક સવાલ : આ પહેલા મોટા ઉપાડે આવીને મોટી જાહેરાતો કરી દેવાય હતી અને હવે દબાણ હટાવવા આડે માટે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે આવા સમયે તંત્રએ મોન સાંધી લેવા સામે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે

પોરબંદર તાલુકાના આવેલ માધવપુર ઘેડ ગામે આવેલ શહેરના પાદરમાં આવેલા ડો.આંબેડકર ચોકમાં છેલ્લા કેટલાક વર્ષોથી આડેધડ ગેરકાદેસરના બાંધકામો ખડકાય જવાથી આંબેડકર ચોકની જગ્યા સદંતર દબાય જવા પામી હતી. અમુક લોકોએ તો જાણે કોઈ પૂછવા વાળું ના હોય તેવું સમજીને ચોકની વસોવાસ ગેરકાયદે દુકાનો બનાવી લેવામાં આવેલ હતી. આવા ગેરકાયદે બાંધકામો અને દુકાનોના દબાણો હટાવવાને સ્થાનિક ગ્રામ પંચાયતના જવાબદાર સત્તાવાળાઓએ પગલા ભરવાને બદલે દબાણકર્તાઓને સપોર્ટ કરી રહ્યા હોવાથી માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે અહીંના સામાજિક કાર્યકર અને અનુ. જાતિના અગ્રણી શાંતિલાલ મેવાડાએ જાગૃતિ દાખવીને પોરબંદરના જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓને છેલ્લા તેર વર્ષથી અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી હતી તેમજ આ પ્રશ્નને જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ બે ત્રણ વખત રજૂ કરવામા આવેલ હતો તેમ છતાં માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી ના હતી અને સ્થાનિક ગ્રામ પંચાયતના જવાબદાર સત્તાવાળાઓએ તો માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણો અને બાંધકામો હટાવવા ના પડે તેવા હેતુથી કોઈપણની મંજુરી લીધા વિના ગેરકાયદેસર રીતે પેશકદમી વાળી દુકાનોને વર્ષ ૨૦૧૮ માં દબાણકર્તાઓને વર્ષ ૨૦૨૦ સુધી ત્રણ વરસના ભાડા પટ્ટે આપી દેવામાં આવેલી હતી અને વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૦ના ભાડા પટ્ટાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં આવી દુકાનો દબાણકર્તાઓના કબજામાં હોવાનું માધવપુરના સામાજિક કાર્યકર શાંતિલાલ મેવાડાને ધ્યાને આવતા માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણોને હટાવવા માટે વર્ષ ૨૦૨૩માં ફરી વખત રજૂઆતો કરવામાં આવેલ હતી. આ પ્રશ્નને ફરી વખત જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલ હતો તેમજ જિલ્લા પોર્ટલમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી અને આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણો હટાવવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવેલી હતી. ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતી પહેલા માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણોને દૂર કરવામાં નહિ આવેતો પોતાની આગેવાની હેઠળ માધવપુરના આંબેડકર ચોકમાં ઉગ્ર આંદોલન કરવાની અને જરૂર જણાયે આત્મ વિલોપન કરવાની પણ ચીમકી આપવામાં આવેલી હતી. જેથી જીલ્લા વહીવટી તંત્રના જવાબદાર સત્તાવાળાઓ સફાળા જાગૃત બન્યા હતા અને માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે વાણિજ્ય બાંધકામો હટાવવા માટે મકમ બન્યા હતા પરંતુ માધવપુર ગામે લોકમેળો યોજાનાર હોવાથી માધવપુરના લોકમેળા પછી માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથપર ધરવામાં આવશે તેવી ખાત્રી સામાજિક કાર્યકર શાંતિલાલ મેવાડાને જીલ્લા વિકાસ અધિકારીએ આપતા આવી ખાતરી મળવાથી આંબેડકર ચોકમાં ઉગ્ર આંદોલન કરવાનું મુલીતવ રાખવામાં આવ્યું હતું અને તંત્રએ તેમના કહેવા મુજબ માધવપુરના આંબેડકર ચોકમાંથી ગેરકાયદે દબાણોને હટાવવા માટેની કાર્યવાહી વેગવંતી બનાવી હતી અને ગત તારીખ ૨૩-૪-૨૦૨૫ના આંબેડકર ચોકમાંથી દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવનાર હતી અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે તાલુકા વિકાસ અધિકારીએ જુદી જુદી ટીમોની પણ નિમણૂક પણ કરવામાં આવી હતી અને આ અંગેના અહેવાલો પણ અખબારોમાં છપાયેલા પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીની કોઈ ભૂલના કારણે આ તારીખે આંબેડકર ચોકમાંથી દબાણો હટાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી અને અચાનક અટકાવી દેવામાં આવતા લોકમુખે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા હતા. આ અંગે સામાજિક કાર્યકર શાંતિલાલ મેવાડાએ પોરબંદરના જીલ્લા વિકાસ અધિકારી સાથે તેમજ તાલુકા વિકાસ અધિકારી સાથે ટેલિફોન પર માહિતી જાણતા તેઓએ જણાવ્યું હતું કે નામ.સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ દબાણકર્તાઓને પંદર દિવસની મુદત આપવાની થતી હોય છે તેના બદલે સાત દિવસની સરપંચ અને તલાટી મંત્રીએ આપેલી હોવાથી તેઓએ પોતાની ભૂલ કબૂલ કરીને ફરી વખત લેખિતમાં આપી ગયેલા છે. જેથી હવે પછીની તારીખ ૨-૫-૨૦૨૫ના માધવપુર ગ્રામ પંચાયત દ્વારા આંબેડકર ચોકમાંથી આવા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ સવાલ એ થાય છે કે આટલી મોટી ભૂલના કારણે તંત્રએ મોટા ઉપાડે આવીને ૨૩-૪-૨૫ના દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની હવામાં જાહેરાતો કરી દેવામાં આવેલ હતી તેનું શું ? જે થયું તે થયું પરંતુ ફરી વખત દબાણકર્તાઓને નવી તારીખ આપવામાં આવેલી છે તેનો પણ આજે આઠ દિવસ જેવો સમય થવા આવ્યો છે. આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણો હટાવવા આડે માત્ર ગણતરીની કલાકો બાકી રહી છે તેમ છતાં આ બાબતે જિલ્લા વહીવટી તંત્રના જવાબદાર સત્તાવાળાઓ હજુ મોન કેમ છે કે મગનું નામ મારી પાડતા નથી. આની પહેલા તારીખ આપવામાં આવેલી હતી તેની જાહેરાતો તો જાેરચોરથી કરવામાં આવેલી હતી અને હવે જે તારીખ આંબેડકર ચોકમાંથી દબાણ હટાવવાની આપવામાં આવેલી છે તે બાબતે કેમ ચુપકીદી સાંધી લેવામાં આવેલી છે તેવા વિગેરે વિગેરે પ્રશ્નો માધવપુરની જનતામાં ઉદભવી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે ૨-૫-૨૫ના આંબેડકર ચોકમાંથી દબાણો હટાવવાની કાર્યવાહી તો હાથપર ધરવામાં તો આવશે કે પહેલાની જેમ હવામાં ઓગળી તો નહિ જાયને તેવા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે ? હા માત્ર સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગામની અંદર જાહેરમાં નોટિસ જારી કરવામાં આવેલી આ સિવાયની અન્ય કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. જાે ખરેખર માધવપુરના ડો. આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવા સ્થાનિક ગ્રામ પંચાયતના જવાબદાર સત્તાવાળાઓ કાર્યરત હોય તો લોકો સમક્ષ પહેલાની જેમ આ વખતે પણ માધવપુરના આંબેડકર ચોકમાંથી દબાણો હટાવવાની જાહેરાતો કરવી જાેઈએ તેવું લોકો ઇચ્છી રહ્યા છે અને ખાસ કરીને આ બાબતની રજૂઆત કરનાર સામાજિક કાર્યકર અને અનુ. જાતિના અગ્રણી શાંતિલાલ મેવાડાએ માંગણી ઉઠાવી છે.

error: Content is protected !!