સોમનાથ મંદિર ખાતે કચ્છથી દર્શને આવેલા ભાવનાબેન મહિલા વિભાગના બહાર નીકળવાના પગથિયા પાસે પડી જતા માથા ઉપર ગંભીર ઈજા થઈ હતી. ત્યારે ત્યાંના ફરજ ઉપરના મહિલા કોન્સ્ટેબલ મમતાબેન તેઓએ તેમને તાત્કાલિક પીઆરઓ ઓફિસમાં લઈ જઈ પ્રાથમિક સારવાર અપાવી હતી. તેમ છતાં પણ લોહી બંધ નતું થતું. બાદમાં મંદિર ડીવાયએસપી ખટાણા તથા પીઆઈ રાવલને જાણ કરી અને તેઓની સુચના પ્રમાણે ૧૦૮માં ફોન કરી તેઓએ તેમને તાત્કાલિક સારવાર અપાવી અને મદદરૂપ થયા હતા. જેમાં સોમનાથ મંદિર પોલીસ અને સોમનાથ ટ્રસ્ટ મદદરૂપ થયા હતા. ભાવનાબેને બંનેનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું હતું.