વિસાવદરમાં ચિતલીયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથામાં ભાવિકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે
વિસાવદર ખાતે ગુરૂકુળના મેદાનમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય જીગ્નેશ દાદા રાધે.. રાધે..ના વ્યાસાસને ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે, જેના માટે ચિતલીયા પરિવાર દ્વારા સુસજ્જ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે વ્યાસપીઠ ઉપરથી સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય જીગ્નેશદાદાએ જણાવ્યું હતું કે શરીરની કોઈ કિંમત નથી પરંતુ અંદર બેઠેલ પરમાત્મા જ શરીર ચલાવે છે માટે ઠાકોરજીને તમારા જીવન રથનો સારથી બનાવજાે ક્યારેક કોઈ મુશ્કેલી નહીં આવે. વધુમાં તેઓએ કથા દરમ્યાન ઉપદેશ સમજાવતા કહ્યું હતું કે જીવતા દાન પુણ્યના કર્મો કરી લેવા સંતાનો મારા પાછળ દાન પુણ્ય કરશે તેવી અપેક્ષા રાખવી નહીં. જીવન જીવતા જીવતા તમારા હસ્તે સત્કર્મો કરજાે તેવો તેમણે સંદેશો આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે પૂજ્ય જીગ્નેશ દાદાનો શ્રોતાવર્ગ ખૂબ મોટો છે, તેમની કથા સાંભળવા માટે લોકો ૪૦ થી ૫૦ કિમી દૂરથી આવતા હોય છે. આમ પૂજ્ય જીગ્નેશ દાદા કથાના માધ્યમથી સમાજ જાગૃતતાનું પણ કાર્ય કરી રહ્યા છે. આજે નંદ મહોત્સવમાં પણ સમગ્ર સોરઠ પંથકના શ્રોતાઓ મોટી સંખ્યામાં પધારશે.