ખંભાળિયામાં વિશ્વ મજદૂર દિવસની ઉજવણી કરાઈ

0

ખંભાળિયામાં ગઈકાલે ગુરૂવારે તા. ૧ મે ના વિશ્વ મજદૂર દિવસ નિમિત્તે ગુજરાત સફાઈ કામદાર મહામંડળ દ્વારા અહીંના મ્યુ. ગાર્ડન ખાતે વિશ્વ મજદૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં ઓગસ્ટ ૧૯૩૬ માં સૌપ્રથમ મજદૂર પક્ષની સ્થાપના કરનાર ડો. બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરીને તમામ મજદૂરોએ બાબા સાહેબ આંબેડકરને નમન સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશ વાઘેલાએ દેશમાં મજૂરોની અગાઉની સ્થિતિ અને હાલની સ્થિતિ વિષે કામદારોને જાણકારી આપી હતી. જેમાં દેશમાં અગાઉ મજૂરોને ૧૨ થી ૧૪ કલાક કામ કરવાનું રહેતું. ૨૭ નવેમ્બર, ૧૯૪૨ ના રોજ બાબા સાહેબ આંબેડકર ગવર્નર જનરલ એજ્યુકેટીવ કાઉન્સિલના સભ્ય બનતા તેમના પ્રયાસોથી દેશના મજૂરોના કામના કલાકોમાં ઘટાડો કરીને ૧૨ માંથી ૮ કલાક કરવામાં આવ્યા છે. મજદૂર દિવસની આ ઉજવણીના પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમે પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાત સ્થાપના દિવસ વિશેની સવિસ્તૃત જાણકારી આપી હતી. સાથે મજદૂર દીવસ ઉજવણીના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, મોહીતભાઈ મોટાણી, સદસ્ય ઈમ્તિયાઝખાન લોદિન, ભીખુભા જેઠવા, સેની. ઇન્સ્પેક્ટર સંજય કરમુર, વાલ્મીકિ સમાજના પ્રમુખ મનોજભાઈ વાઘેલા સાથે મોટી સંખ્યામાં સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!