પાપમાંથી મુક્ત થવા માટેનું શ્રેષ્ઠ સાધન પસ્તાવો છે : પૂ.જીજ્ઞેશદાદા રાધે.. રાધે..
વિસાવદરમાં સ્વામી નારાયણ ગુરૂકુળ નજીકના મેદાન ખાતે ચાલી રહેલ પૂ. જીજ્ઞેશ દાદાની ભાગવત કથાના ચોથા દિવસે રામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગોની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર આખુ જાણે ગોકુળ બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત ભાગવતાચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદા રાધે.. રાધે.. એ આજે કથાના ચોથા દિવસે શ્રોતાઓને વિવિધ સંદેશાઓ પાઠવતા જણાવ્યું હતું કે પાપોમાંથી મુક્ત થવા માટેનું શ્રેષ્ઠ સાધન પસ્તાવો છે અને કોઈ વ્યક્તિને પસ્તાવો થશે તો તેમની નાવ ક્યારેય દુખશે નહીં. નારાયણનું નામ લેવાથી પણ ઉધાર થઈ જાય છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિચારો વૃત્તિ અને નીતિ સારી ન હોય તેનો ભરોસો ક્યારેય ન કરવો. જગત દેવોને આધીન છે, દેવો મંત્રને આધીન છે અને મંત્ર બ્રાહ્મણોને આધીન છે તેવું પૂ. જીજ્ઞેશદાદા એ શ્રોતાઓને જણાવ્યું હતું. આજની કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત સૌ ભાવીક ભક્તજનોએ જન્મ મહોત્સવની ભાવપૂર્ણ ઉજવણી કરી હતી. ભાગવત્ ભગવાનનો પંડાલ “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી “ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.