રાષ્ટ્રને પ્રેમ અને ધર્મની રક્ષા કરજાે, ક્યારેય મુશ્કેલી નહીં આવે : શાસ્ત્રી રાજુદાદા જાની

0

ચણાકા ગામે બાલધા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન

ભેસાણ તાલુકાના ચણાકા ગામે બાલધા પરિવાર દ્વારા તા.૪ મેથી ૧૦ મે સુધી શાસ્ત્રી રાજુદાદા જાની (ભેસાણ વાળા)ના વ્યાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવસ દરમ્યાન બે સત્રમાં ચાલતી આ કથામાં મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યા છે. કથાના બીજા દિવસે વક્તાશાસ્ત્રી રાજુદાદા જાનીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ રાષ્ટ્રને પ્રેમ કરજાે અને ધર્મની રક્ષા કરજાે ધર્મના રસ્તે ચાલનારને કસોટીમાંથી પસાર થવું પડશે પરંતુ પરમાત્મા તે કસોટીમાંથી તમને ઉગાડી દેશે, વધુમાં તેઓએ શ્રોતાઓને જણાવ્યું હતું કે વિકટ પરિસ્થિતિમાં પણ વિવેક કે ધર્મ ચુકવો નહીં ક્યારેય કોઈ સાથે વેર કરવું નહીં વેર ક્યારેય જીતતું નથી. અત્રે નોંધનીય છે કે આવતીકાલે તારીખ ૭ના રોજ રામ જન્મોત્સવ અને નંદ મહોત્સવ સહિતના પ્રસંગો ઉજવાશે. નાના એવા ગામમાં બાલધા પરિવાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને સુસજ્જ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

error: Content is protected !!