તમામ ફોટો અને વિગત લાલવાણીના હસ્તે ખુલ્લા મુકવામાં આવ્યા
જૂનાગઢ શહેર ભાજપ દ્વારા કાર્યાલય ખાતે સોમવારે એક ચિત્ર પ્રદશન રાખવામાં આવ્યું હતું. જેમાં જનસંઘથી ભાજપ સુધીના તમામ ચિત્રો ખુલ્લા મુકવામાં આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ આ બાબતે જણાવ્યું કે જનસંઘના સમયથી લઈ ભાજપ બન્યું ત્યાર સુધીમાં જેટલા પણ નેતાઓ જૂનાગઢ આવ્યા. તેમની યાદગારી ચિત્ર સ્વરૂપે એકઠી કરવામાં આવી છે. જેમાં ૧૫૦ ચિત્રો અને લખાણ તૈયાર કરી પાર્ટીના વરિષ્ઠ આગેવાન હેમાબેન આચાર્યના આશીર્વાદ સાથે અને એમ.એન. લાલવાણીના હસ્તે તમામ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દિપકથી કમળ…” સુધી…શૂન્યથી શતક…” સુધી..સંઘર્ષથી સતા…” સુધી…”સતાથી સેવા…” સુધી…”જનસંઘથી ભાજપ-૨૦૨૫…” સુધી…ની પ્રદર્શની પાયાના પથ્થર અને પાર્ટીના વરિષ્ઠ આગેવાન હેમાબેન આચાર્યના આશીર્વાદથી અને એમ.એન. લાલવાણીના વરદ્ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.