શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા આયોજીત તા.૪-૫-૨૦૨૫ને રવિવારનાં રોજ આઝાદ ચોક-જૂનાગઢ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને આકરા તાપમાં તમામ નાગરીકોને ઠંડક મળે એ હેતુથી વિનામુલ્યે ફુલ ઠંડી છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છાશ વિતરણનું ઉદ્ઘાટન જૂનાગઢનાં સામાજીક આગેવાનોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ફુલ ઠંડી છાશનો લાભ ૧૭૬૫ નાગરિકોએ લીધો હતો. આ છાશ વિતરણના પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જેમાં જૂનાગઢ દ્ગ.જી.ઁ. ગૃપનાં સ્થાપક અને પ્રમુખ ચંદુભાઈ લોઢીયા, દાતાર સેવક બટુકબાપુ, સમાજ સેવક ડો.રાજેશભાઈ ભાખર, પ્રતિકભાઈ મિશ્રાણી, અરવિંદભાઈ મારડીયા, હરસુખભાઈ પાલા, રમણીકભાઈ ચલ્લા, જયશ્રીબેન ગાલોરીયા, પ્રવિણાબેન વાઘેલા, રેખાબેન સ્વાદીયા, દેવીબેન દવે, ઈન્દુબેન ખાણઘર, રમીલાબેન ઘુચલા, મિતલબેન રાડા, રોશનીબેન ઘુચલા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ છાશ વિતરણનાં પ્રસંગે બહારગામનાં નામી અનામી દાતાઓ તેમજ જૂનાગઢનાં નામી અનામી દાતાઓનો પુરેપુરો આર્થિક સહકાર મળ્યો હતો. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલાએ જહેમત ઉઠાવી હતી.