માંગરોળમાં આશાસ્પદ મુસ્લિમ યુવકનું વિજ શોક લાગતા મોત

0

ઘરનાં મોભી વ્હાલસોયા દિકરાનું અચાનક મોત થતા પરિવાર ભાંગી પડ્યો

માંગરોળના ૧૯ વર્ષીય આશાસ્પદ મુસ્લિમ યુવકનું વિજ શોક લાગતા મોત નીપજ્યું હતું. આ બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે, માંગરોળ પીર મુસા વિસ્તારમાં રહેતા ફૂરકાન હારૂનભાઈ મહીડા સોમવારે વાયરીંગનુ કામ કરવા માટે સાઇટ પર ગયેલ હોય જ્યાં વાયરીંગ કામ કરતી વખતે વિજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેઓ ઉંચાઈ પરથી પડી ગયા હતા. પરીણામે તેમના માથામાં પણ ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક અસરથી તેઓને માંગરોળની શિફા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ઉપસ્થિત ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પીએમ અર્થે ત્યાંથી તેમની ડેડ બોડી માંગરોળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ૧૯ વર્ષીય ફૂરકાન તેના પરીવારનો મોટો આધાર સ્તંભ દિકરો હતો. તેમણે બરોડા ખાતે આઈટીઆઈ કરી ઈલેક્ટ્રીશ્યન ની પદવી મેળવી હતી. શહેરમાં નવા કન્સ્ટ્રક્શન પ્લાન્ટમાં વાયરીંગનુ કામ કરી પરિવાર માટે મોટો સહારો બની ઉભરી આવ્યો હતો. આ સાથે તેઓ હાફીઝે ર્કૂઆન પણ હતા. ગત રમઝાનમાં તેમણે પડોશમાં આવેલી મરકઝ મસ્જિદમાં ર્કૂઆનથી તરાવીહ પણ પઢાવી હતી. કુટુંબના વહાલસોયા મોભી દિકરાનું અચાનક મોત થતા પરિવાર ભાંગી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મુહમ્મદહુસૈન ઝાલા, સોયબભાઈ ભાભા સહિતના આગેવાનો દોડી આવી પરીવારજનોને સાંત્વના આપી ખડેપગે રહ્યા હતા.

error: Content is protected !!