શનિવારે રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં ચમત્કારોથી ચેતો જાગૃતિ કાર્યક્રમ રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી અને વિજ્ઞાન જાથા ઉપક્રમે શનિવારે લોકજાગૃતિ કાર્યક્રમ

0

પોલીસ કર્મીઓ, પરિવારો માટે જ્ઞાન-વિજ્ઞાનનો અદભુત કાર્યક્રમ : ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે : અંધશ્રદ્ધા નિવારણનો જાગૃતિ કાર્યક્રમ જાહેર જનતાને લાભ લેવા અપીલ : કાર્યક્રમનું ઉદ્દઘાટન પો. કમિ. બ્રીજેશ ઝા કરશે : ઉકળતા તેલમાંથી હાથેથી પુરી-ભજીયા તળવા, ધગધગતા અંગારા ઉપર ચાલવાનો પ્રયોગ

રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી અને ભારત જન વિજ્ઞાન જાથાના સંયુક્ત ઉપક્રમે શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી, પોલીસ કર્મીઓ, પરિવારોમાં અંધશ્રદ્ધા નિવારાણાર્થે ચમત્કારોથી ચેતોનો લોકજાગૃતિ કાર્યક્રમ આગામી શનિવાર તા.૧૦મી મે સાંજે સાત કલાકે રેસકોર્સ પાસેના પોલીસ હેડ કવાર્ટરમાં જાહેર જનતા માટે યોજવામાં આવેલ છે. જેમાં જાથાના રાજય ચેરમેન જયંત પંડયા વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર ધારદાર વકતવ્ય આપશે. જાથાનો ૧૦૦૬૧ મો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝા કરશે. આ પ્રસંગે જાેઈન્ટ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડે.પો.કમિ. સજનસિંહ પરમાર, જગદીશ બાંગરવા, પાર્થરાજસિંહ ગોહિલ, પુજા યાદવ, આસી.પો.કમિ. બી. વી. જાદવ, આર. એસ. બારીઆ, રાધિકા ભારાઈ, બી. જે. ચૌધરી, બી. બી. બસીયા, એમ. આઈ. પઠાણ, સી. એમ. પટેલ, આર. એસ. બારીઆ, વી. જી. પટેલ, એસ. કે. જાડેજા સહિત પોલીસ અધિકારીઓ હાજરી આપશે. ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ધૂણવું-સવારી આવવી, ભુવાની સાંકળ મારવાની ડીંડકલીલા, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, સળગતા અંગારા ઉપર ચાલવું, સંમોહન, મનગમતી મીઠાઈ ખવડાવવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી, કર્ણપિશાચની વિદ્યા, બોલતું તાવીજ, બેડી તૂટવી, હઝરતમાં જાેવું, રૂપિયાનો વરસાદ જેવા અનેક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે. ચમત્કારિક પ્રયોગોના તજજ્ઞ જાદુગર ધીરૂભાઈ પાસા, સુરત સત્ય શોધક સભાના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ દેગામી, મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવ વિવિધ વેશભૂષામાં આકર્ષક પ્રયોગ રજૂ કરશે. માથા ઉપર સગડી રાખી ભોળા લોકોને પગે લગાડવાનો પ્રયોગ ભાનુબેન ગોહિલ રજૂ કરવાના છે. પ્રયોગમાં જાથાના અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, તુષાર રાવ, ર્નિભય જાેશી, દિનેશ હુંબલ, ર્નિમળ મેત્રા, સાહિલ રાજદેવ, ભક્તિબેન રાજગોર, ભાવનાબેન વાઘેલા, હર્ષાબેન પંડયા, પ્રફુલ્લાબેન રાવ, ભારતીબેન દેગામી ભાગ લેવાના છે. હેડ કવાર્ટરના આસી. પો. કમિ. એમ. આઈ. પઠાણે જણાવ્યું કે જાથાનો લોકપ્રિય કાર્યક્રમ નિહાળવા જાગૃતો, જાહેર જનતાને ખાસ આમંત્રણ છે. મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

error: Content is protected !!