ગુરૂવારે મોહિની એકાદશી : મહત્વ, પૂજન અને બોધ

0

જીવનના બંધનોમાંથી મુક્તિ અપાવનાર એકાદશી આ એકાદશીના દિવસે ઘરમાં ગૌમુત્ર અથવા તો ગંગાજળ છાટવું
વૈશાખ શુદ અગીયારશને ગુરૂવારે તા.૮-૫-૨૫ના દિવસે મોહિની એકાદશી છે. બુધવારે સવારે વહેલા ઉઠી ન્હાવાની પાણીની ડોલમાં ગંગાજળ નાખી સ્નાન કરવું. ત્યાર બાદ શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. ભગવાનને છાશ અને દહીં ખાસ ધરાવવા. શ્રી કૃષ્ણ શરણમ મમ એક અથવા ત્રણ માળા કરવી અને કથા વાંચવી અથવા સાંભળવી. મોહિની એકાદશીનાં દિવસે ઘરમાં ગૌમુત્ર અથવા ગંગાજળ છાટવું ઉત્તમ ગણાય છે. મોહિની એકાદશી એટલે મોહ પમાડનાર નહીં પરંતુ મોહમાંથી મુકિત આપનાર એકાદશી છે. જીવનમાં કોઈપણ વસ્તુનો મોહ જાગે એટલે જીવનમાં જ્ઞાન તથા વિવેક રહેતા નથી અને પતન થાય છે. આથી જ શાસ્ત્રોમાં પુરાણોમાં કહેલું છે કે કામ, ક્રોધ, મોહનો ત્યાગ કરો.
એકાદશીની કથાનો બોધ
જીવનમાં કોઈપણ વસ્તુનો અને વ્યક્તિનો મોહ રાખવો જાેઈએ નહીં. જે મળે તેમાં સંતોષ માનવો જાેઈએ તો જ જીવન સુખી થશે. વ્યકિતનાં જીવનમાં ગમે તેટલી સંપતી હોય બધુ જ હોય પરંતુ સંતોષ ના હોય તો બધુ જ નકામુ છે. આથી ખોટો મોહ છોડી અને સંતોષ પૂર્વક જીવન જીવવું જાેઈએ.
– શાસ્ત્રી રાજદીપ જાેષી(વેદાંત રત્ન)

error: Content is protected !!