
ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના કબ્જામાં રહેલા કાશ્મીરમાં આવેલ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓના અડ્ડાઓને ઓપરેશન સીંદુર દ્વારા એરસ્ટ્રાઈક મારફતે ધ્વસ્ત કરવાના પગલાંને દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ સરાહનીય ગણાવતાં ભારતીય સેનાના ભરપેટ વખાણ કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ભારત દેશ આ મામલે સરકાર અને સેનાની સાથે છે. પાકિસ્તાન દ્વારા પહેલગામ હુમલાના આતંકવાદીઓને ભારતને સોંપી દીધા હોત તો ભારતે આવા કડક પગલાં લેવા પડયા ન હોત. પાકિસ્તાનના શાસકો અને સેનાએ સમજવું પડશે કે આતંકવાદના આશરે કયારેય શાંતિ પ્રાપ્ત નહિં કરી શકે. ભારતીય શાસન અને સેનાના પગલાંને સાહસિક ગણાવતાં તેમણે સેનાના શૌર્યને બિરદાવ્યું હતું.