ચેક બાઉન્સના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો માંગરોળ કોર્ટનો ચુકાદો

0
બંને ફરિયાદો મુજબ માંગરોળના ઝરીયાવાડા ગામના ફરિયાદી અનવરખાન શેરખાન બેલીમની લેણી નીકળતી રકમ રૂપિયા પાંચ લાખની ચુકવણી પેટે માંગરોળના આરોપી સુફિયાન જેઠવાએ અઢી-અઢી લાખના બે ચેકો ફરિયાદીને આપેલા, જે બંને ચેકો વણચૂકવ્યા પરત થતા ફરિયાદીએ માંગરોળ કોર્ટમાં આરોપી વિરુદ્ધ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબની બે અલગ અલગ ફરિયાદ દાખલ કરેલી. જેમાં આરોપી સુફિયાન જેઠવાએ પોતાના વકીલ તરીકે એડવોકેટ યુસુફ એસ. કરૂડને રોકી જરૂરી બચાવ લીધેલ હતો, વકીલશ્રીએ ફરિયાદીની ઉલટતપાસ કરી મહત્વની છુપાયેલી વિગતો બહાર કાઢેલ ત્યારબાદ જરૂરી પુરાવાઓ રજુ કરી સમગ્ર રેકર્ડ આધારિત ધારદાર દલિલો રજૂ કરતા તેને માન્ય રાખી માંગરોળના નામદાર જજ સાહેબ શ્રી રાઠોડ સાહેબે તા.૦૫/૦૫/૨૦૨૫ના રોજ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ કરેલ છે. આ કામે આરોપીના વકીલ તરીકે યુસુફ એસ. કરૂડ, ઝેડ.એમ. સાખલા, અલ્ફેઝ વાય. કરૂડ અને ઇરફાન એ કરૂડ રોકાયેલ હતા.
error: Content is protected !!