દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘બ્લેકઆઉટ’ : ખંભાળિયામાં અંધારપટ: નાગરિકોએ સ્વયંભૂ રીતે લાઈટો બંધ કરી દાખવી શિસ્તતા

0

સમગ્ર દેશભરમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ (અંધારપટ)નો અભ્યાસ કરવામાં આવ્યો હતો, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બુધવારે રાત્રીના ૮ થી ૮:૩૦ સુધી લોકોએ અડધો કલાક અંધારપટ રાખીને સરકાર દ્વારા નાગરિક સંરક્ષણ અર્થે ઉઠાવેલ આ પગલાં નાગરિકોએ શિસ્તતા સ્વયંભૂ રીતે લાઈટો બંધ કરી સહકાર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હવાઈ હુમલા (એર રેઇડ) દરમિયાન સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો વિકટ સ્થિતિમાં કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ૧૮ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન અભ્યાસ‘ મોકડ્રિલનું આયોજન કરાયું હતું. આ મોકડ્રિલનો હેતુ એ માત્ર લોકોને સતર્ક અને જાગૃત્ત કરવાનો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોએ જાગૃતતા કેળવી સંપૂર્ણ સમર્થન આપી મોકડ્રિલને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.

error: Content is protected !!