ભારતના બાર જયોર્તિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્ય અને ચરણમાં સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રમુખ હેમલ ભટ્ટ તથા ટ્રસ્ટી મંડળના સભ્યો અને સમાજના સર્વે પંડીતોએ હાલની સ્થિતિ ધ્યાને રાખી આપણા દેશની રક્ષા કરી રહેલ સૈનિકોને વધુ બળ મળે અને રક્ષણ થાય તેમજ પહેલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો તેને બિરદાવવા પવિત્ર વેદમંત્રોચ્ચાર સાથે પ્રાચીન અહલ્યાબાઈ નિર્મીત સોમનાથ મંદિર પૂજાપાઠ, ષોડષોપચાર પૂજા, દુધ-જળ-પંચામૃત-અબિલ ગલાલ અભિષેક સાથે વિશેષ પૂજા કરવામાં આવી અને પૂજાપાઠ સાથે ભગવાનનો શણગાર કરી દિવ્ય આરતી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતે હર.. હર.. મહાદેવ ઉપરાંત ભારત માતા કી જયના ગગનભેદી ઘોષના નાદો સાથે ભકિત અને રાષ્ટ્રભકિત વ્યકત કરી હતી.