પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર જે સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે, તે વચ્ચે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. આથી દ્વારકા વિસ્તાર પાકિસ્તાન સરહદથી નજીક હોય, તેના ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આને અનુલક્ષીને દ્વારકાની સિવિલ હોસ્પિટલને સતર્ક કરવામાં આવી છે. દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં એક અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં આશરે સો જેટલા દર્દીઓનો સમાવેશ થઈ શકે, તેમને ઓક્સિજનથી લઇને દવા તથા જમવાની તમામ સુવિધાઓ અહીં ઉભી કરવામાં આવી છે. સંભવિત યુદ્ધની પરિસ્થિતિ જાેતા જાે યુદ્ધ થાય તો ઘાયલ લોકો માટે પાંચ એમ્બ્યુલન્સ, તેમના માટે સતત ઓક્સિજન આપી શકાય તેવી વ્યવસ્થાઓ, તમામ પ્રકારની દવાઓ, ઓપરેશન થિયેટર સાથે અલાયદો વોર્ડ વિગેરે તૈયાર કરવામાં આવ્યા છે. હાલ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની માંગણી કરવામાં આવી છે. જે સંભવત આવતા સમયમાં ડોક્ટરની ઘટ પૂરી કરી દેવામાં આવશે. તેમ દ્વારકાની સિવિલ હોસ્પિટલના ડોક્ટરએ જણાવ્યું હતું.