પૂ. મુકતાનંદબાપુના અધ્યક્ષ સ્થાને રકતદાન કેમ્પ ભોજન સમારંભ સહિતનાં કાર્યક્રમો પૂ. જાેષીબાપાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી રાજગોર સમાજ ઉમટી પડશે
રાષ્ટ્રીય સંત પ્રખર ભાગવતાચાર્ય પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સ્થાપિત સાન્દીપતિ વિદ્યા નિકેતન પોરબંદર ખાતે રાજાેગોર બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના ૧૦૦૦ થી વધુ ઋષિકુમારો અનેક યુવાનોને પૂ. ભાઈશ્રીએ શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો વૈદનો અભ્યાસ કરાવ્યો અનેક વ્યક્તિને ધર્મના પ્રચાર માટે દેશ વિદેશમાં મોકલ્યા આવુ સરસ મજાનું બ્રાહ્મણ પરિવારનો નિવાર્હ કેવી રીતે કરવો અને જે પંરપરાગત રીતે શાસ્ત્રના જ્ઞાતા બનાવ્યા એ મહાપુરૂષનો ઉપકાર આખા સમાજ પર છે એટલે એવો એક અવસર આવ્યો છે ત્યારે તમામ રાજગોર સમાજ એકત્ર થઈ અને ભાઈશ્રીનો આભાર વ્યક્ત કરશે. પૂ. ભાઈશ્રીને સંસ્કૃતમાં લખાયેલ સન્માન પુત્ર અર્પણ કરવામાં આવશે જેમાં છે કે શ્રેષ્ઠબ્રાહ્મણ કુળના આદરપાત્ર લખાયું છે વર્તમાન અને પુરપરાગત વિદવાન, સનાતન ધર્મ ઉપર આવેલ અંધકારને નાશ કરનાર તથા શ્રીમદ ભાગવતમાં પુર્ણ નિષ્ઠા સાથે જીવન અર્પણ કરનારા અને સમગ્ર વિશ્વમાં મુજય ભાઈશ્રી તરીકે પ્રસિધ્ધ અને સન્માનિત એવાપૂ.ભાઈશ્રી રમેશભાઈને સમગ્ર રાજગોર બ્રાહ્મણે જ્ઞાતિ સમાજ તરફથી ઋણ સ્વીકાર સાથે આદર પુર્વક સન્માન અર્પણ કરવામાં આવશે. આગામી તા. ૧૦ મે ને શનીવારના રોજ જેતપુર નેશનલ હાઈવે પર આવેલ શ્રી હરિ વૃધ્ધાશ્રમ ખાતે પુ. જાેષી બાપાના માર્ગદર્શન હેડળ આ ઋણસ્વીકાર સત્કાર સમારોહ યોજાશે. જેમાં સંતો મહંતોમાં જેતપુર થી પૂ. નિલકંઠ ચરણદાસજી સ્વામી, ધુનડાથી પૂ. જેન્તિરામબાપા, દાણીધારથી સુખદેવદાસ બાપુ, પૂ. ઈશ્વર ચેતન્ય બાપુ, પુર સુબોધાનંદબાપુ, પૂ. જગુરામબાપા, પૂ. રામબાલકદાસબાપુ, પૂ.ડો. રતિદાદા, પૂ. નિજસ્વરૂપાનંદજી, પૂ. ગણેશાનંદબાપુ સહિતના સંતો પધારશે તેમજ રાજગોર સમાજના આગેવાનો પણ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. ગત તા. ૨૪ માર્ચના રોજ પૂ. જાેષીબાપા એ સમાજના આગેવાનો સાથે પોરબંદર ખાતે પૂ. ભાઈશ્રીની મુલાકાત લઈ અને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું ત્યારે પૂ. ભાઈશ્રીએ આ વાત સ્વીકારી ઉપસ્થિત રહેવા રાજીપો વ્યકત કર્યો હતો. શનીવારે બપોરે ૨ વાગ્યાથી રકતદાન કેમ્પ શરૂ થશે અને સાંજે ૪ કલાકે સંતોના સામૈયા અને સાંજે ૫ વાગ્યાથી રાત્રે ૮ કલાક સુધી પૂ. ભાઈશ્રી નો સન્માન સમારોહ અને ત્યારબાદ ભોજન સમારંભનું આયોજન કરાયું છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા એક માસથી પૂ. જાેષીબાપા ગામે ગામે મીટીંગનું આયોજને કરી આખરી ઓપ આપી રહ્યા છે. વધુ માહિતી માટે નિલેશભાઈ જાેષીનો મો. નં. ૯૮૨૫૫ ૩૨૫૫૮(૬.૪) સંપર્ક કરવા જણાવેલ છે.