આકસ્મિક પરિસ્થિતિના નિર્માણ સમયે સુરક્ષા, ફાયર અને મેડિકલ સહિતની સુવિધા તમામ સાધનો-વ્યવસ્થા અંગે પુરતી કાળજી રાખવા ઉપર ભાર મુકતા પ્રભારી સચિવ : કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
દેશમાં સર્જાયેલી આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ “ઓપરેશન અભ્યાસ” અંતર્ગત મોકડ્રિલ સાથે બ્લેકઆઉટ અને અન્ય તૈયારીઓ થઈ રહી છે. તે જ રીતે, ગીર સોમનાથ જિલ્લામાં પણ કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ આરંભાઈ છે. આ તૈયારીઓની સમીક્ષા માટે પ્રભારી સચિવ વિશેષ રૂપે ગાંધીનગરથી ગીર સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતાં અને તેમણે જિલ્લાની તૈયારીઓની સમીક્ષા જિલ્લાના શિર્ષ અધિકારીઓ સાથે કરી હતી. પ્રભારી સચિવ જેનુ દેવાને જિલ્લામાં બ્લેકઆઉટ ડ્રીલ તથા યુદ્ધની આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લાના નાગરિકોના જાનમાલના રક્ષણ સાથે આકસ્મિક સંજાેગોમાં લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી શકાય તથા ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. સચિવએ પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે, તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અત્યારે દેશમાં સર્જાયેલી સ્થિતિમાં આપણું કર્તવ્ય છે કે, આપણે સતત એલર્ટ મોડ પર રહીએ અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સભ્ય રહીએ તે સમયનો તકાજાે છે. સચિવએ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ જેવી કે, રક્તની ઉપલબ્ધતા ઓક્સિજન અને વેન્ટિલેટર એમ્બ્યુલન્સ ઓક્સિજન પ્લાન્ટ સહિતની વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. સચિવએ પાણી, ટ્રાન્સપોર્ટેશન, સોમનાથ મંદિરની સુરક્ષા, લોકો દ્વારા ખોટી માહિતીનું પ્રસારણ ન થાય તે માટેની કાળજી સહિતના મુદ્દાઓ સ્પષ્ટ કરીને તે માટે લેવાની દરકાર બાબતે ઉપસ્થિત અધિકારીઓને વિશેષ માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. પ્રભારી સચિવએ જિલ્લાના અધિકારીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ જ સમય દેશ પ્રત્યે પોતાની કર્તવ્ય નિષ્ઠા દર્શાવવાનો છે અને લોકોની સરકાર પ્રત્યેની જે અપેક્ષાઓ છે તેની પૂર્તિ કરવાનો છે. જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાય એ પ્રભારી સચિવએ આપેલા માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને જિલ્લાના અધિકારીઓ નીચેના કર્મચારીઓને માર્ગદર્શિત કરે અને આવનારી કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે સજ્જ રહે એ માટે માર્ગદર્શન આપ્યું હતું.