ઇ.સ.૧૯૬૫માં પાકીસ્તાન દ્વારા વામન જયંતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રિના સમયે મેલી મુરાદથી દરીયાઈ માર્ગે ૧૫૬ જેટલાં બોમ્બથી ભીષણ બોંબમારો કરવામાં આવેલ. પરંતુ સુદર્શન ચક્રધારી જગતપાલક દ્વારકાધીશજીએ મંદિર તેમજ સમગ્ર નગરીનું રક્ષણ કરી સમગ્ર નગરીને બચાવતા એક પણ બોમ્બ દ્વારકામાં ન પડતાં શહેરથી દૂર પડેલ. જેની યાદમાં છેલ્લાં ૬૦ વર્ષથી દર વર્ષે ભાદરવા સુદ બારસના રોજ ભગવાનનો આભાર માનતાં આ દિવસને વિરાટ વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દ્વારકાધીશે પાકીસ્તાનનો અહંકાર ચકનાચૂર કર્યો સંસ્કૃત એકેડેમીના મ્યુઝીયમમાં બોમ્બના અવશેષો મોજૂદ છે. ૧૯૬૫ની સાલમાં પાકીસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશ મંદિરનો નાશ કરવાની મેલી મુરાદથી દ્વારકાના સમુદ્ર કિનારેથી નિરિક્ષણ કરી ગયેલ. બાદ રાત્રિના સમયે પાકીસ્તાન નેવી દ્વારા નાપાક ઈરાદા સાથે દ્વારકા ઉપર ભીષણ બોમ્બમારો કરી ૧૫૬ જેટલા બોમ્બ દ્વારકા ઉપર ફેંકવામાં આવેલ. પરંતુ વામન જયંતિના એ ઉત્તમ દિવસે ભગવાન દ્વારકાધીશે તેની કર્મભૂમિ અને તેમની પ્રજા સમાન નગરજનોને બચાવવા દરીયાના પાણીનું સ્તર ઊંચું લાવી દીધેલ. આથી ભરતીના સમયે કરાયેલ બોમ્બમારામાં એક પણ બોમ્બ દ્વારકામાં ન પડતાં દ્વારકાથી દૂર જંગલમાં જઇ પડેલ તથા દ્વારકામાં એક પણ બોમ્બ ફુટયો પણ નહિં. વામન જયંતિના રોજ થયેલ આ ઘટનામાં જેમ વામન અવતારમાં ભગવાને રાજા બલીનો અહંકાર ભાંગ્યો હતો તેવી જ રીતે ભગવાન દ્વારકાધીશે પાકીસ્તાનનો અહંકાર ચકનાચૂર કરેલ. આ બોમ્બમારાના અવશેષો આજે પણ દ્વારકાની કોલેજ રોડ પર આવેલ સંસ્કૃત એકેડેમીના મ્યુઝીયમમાં મોજૂદ છે.