“વિંછીયા તાલુકાની આવનારી પેઢીને શિક્ષણ-આરોગ્ય, જળ અને રસ્તાઓની સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ” : મંત્રી કુંવરજી બાવળીયા
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૂા.૪૦૪.૨૬ લાખના ખર્ચે વિંછીયા તાલુકાના મોટી લાખાવડ ગામના નિનામા રોડ વિસ્તારની સુખભાદર નદી પરના નવનિર્મિત પુલનું લોકાર્પણ કરાયું હતું. મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સુખભાદર નદી પરનો આ પુલ બે તાલુકાને જાેડે છે. ૧૮ મીટરના ૬ ગાળાનો આર.સી.સી.ગર્ડરનો મેજર બ્રિજ બી.યુ.એસ.જી., કાર્પેટ અને સીલ કોટના ત્રણ લેયરમાં બનાવવામાં આવ્યો છે. ઉપરાંત, એપ્રોચ રોડમાં નદી બાજુ પ્રોટેક્શન વોલ, સાઇડ સોલ્ડર માટીકામ સહિતની કામગીરી કરાઈ છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગામના આ પુલ તરફ જતા કોઝ-વેનું કામ રૂા.૧ કરોડના ખર્ચે પૂર્ણ કરવાના આવશે. ચોમાસુ શરૂ થાય તે પહેલા રસ્તાના રીપેરિંગ કામ, તળાવો, ચેકડેમો અને કેનાલોના કામ પૂર્ણ કરવામાં આવશે. જેથી ગામના નાગરિકોને યોગ્ય સુવિધાઓ મળી રહેશે. વિંછીયા માર્કેટિંગ યાર્ડથી અમરાપુર જવાના રસ્તામાં દેખાતી ટાંકીઓનું પાણી ગોમા ડેમમાંથી ઉપલબ્ધ કરવામાં આવશે. વિંછીયા તાલુકાની આવનારી પેઢીને શિક્ષણ, આરોગ્ય, જળ અને રસ્તાઓની સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમમાં મહાનુભાવોનું પુષ્યમાળા પહેરાવીને કરવામાં સ્વાગત કરાયું હતું. એ.પી.એમ.સી.ના ચેરમેન કડવાભાઈ જાેગરાજીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રાંત અધિકારી આર.આર.ખાંભરાએ ગામવાસીઓને રાશન કાર્ડ ઈ- કે.વાય.સી.ની કામગીરી, ફાર્મર રજિસ્ટ્રેશન યોજના સહિતની યોજનાઓના લાભ લેવા ગ્રામના અગ્રણીઓને અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અગ્રણી અશ્વિનભાઈ સુરાણીએ કર્યું હતું.