જૂનાગઢ શહેરમાં ધાર્મિક, સામાજીક અને સેવાકીય પ્રવૃતિ કરનાર તેમજ લોકસભાના અનેકકાર્યોમાં મોખરે રહેલા શ્રી વીરબાઈમાં મહિલા મંડળના બહેનો દ્વારા તાજેતરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બનાવમાં મૃત્યું પામેલા ૨૭૪ દિવંગત થયેલ આત્માઓની શાંતિ માટે ૨૭૪ મહામૃત્યુંજયના મંત્રજાપની આહુતિ, અષ્ટાક્ષર મંત્રની માળા, અંજલી ગીત તથા બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.