જૂનાગઢ મસ્જીદે રઝામાં યૌમે આશુરાના નવાફીલ તથા શાનદાર જલ્સાનું આયોજન

0

ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મર્કઝે એહલે સુન્નત, મસ્જીદે રઝામાં તા.૬-૭-ર૦રપ રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે હુઝુર ગુલઝારે મિલ્લત મદઝીલ્લહુલઆલી યૌમે આશુરાના નવાફીલની નમાઝ તરબી સાથે અદા કરાવશે. તેમજ બપોરે ૧ થી ૩ વાગ્યા સુધી મસ્જીદે રઝામાં તાજદારે કરબલા હઝરત ઈમામે આલી મુકામ રદીઅલ્લાહોતઆલા અન્હોની યૌમે શહાદતના મૌકા ઉપર શાનદાર જલ્સાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહના ગાદીનશીન પીરે તરીકત હુઝુર ગુલઝારે મિલ્લત હઝરત અલ્લામાં ગુલઝાર અહમદ સાહબ નૂરી ઈમામે આલી મુકામની શાનમાં શાનદાર તકરીર ફરમાવશે. જલ્સા બાદ હુઝુર અમીરે અહલે સુન્નત હઝરત અલ્લામાં પીર નૂરમુહંમદ મારફાની સાહબ રહમતુલ્લાહી તઆલા અલયહે તેમની હયાતે ઝિંદગીમાં જે તબરૂકાત સુરક્ષીત રાખેલ હતી તે તબરૂકાત જેવી કે હઝરત સૈયદના આદમ અલયહીસ્સલામ કે જેના કદમ મુબારક જે કપડામાં છે તે તથા હઝરતે સૈયદા ખાતુને જન્નત રદીઅલ્લાહુ તઆલા અન્હાના મકાનનું પથ્થર, સૈયદના ઈમામે હસન, સૈયદના ઈમામે હુસેન તથા હઝરત ઐય્યુબ અન્સારી, હઝરત દાઈ હલીમાના મકાનનું પથ્થર તેમજ કરબલા શરીફમાં જે જગ્યાએ સરકાર ઈમામે આલી મુકામ શહીદ થયા તે જગ્યાની માટી શરીફ જેવા અનમોલ તબરૂકાતની ઝિયારત કરાવવામાં આવશે. આ સિવાય ૭પ જેવી અનમોલ તબરૂકાત હુઝુર અમીરે અહલે સુન્નત રહમતુલ્લાહી તઆલા અલયહે તેમની હયાતે ઝિંદગીમાં સુરક્ષીત કરેલ તે આજે પણ તેમના સુપુત્ર અને ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહના ગાદીનશીન હઝરત ગુલઝાર અહમદ સાહબ નૂરી પાસે ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહમાં સુરક્ષીત છે. તો આ સુનેહરી મૌકાનો લાભ લેવા તેમજ તબરૂકાતની ઝિયારત કરવા સર્વે મુસ્લીમ બિરાદરો બહોળી સંખ્યામાં હાજરી આપી સવાબે દારૈન હાસીલ કરશો તેમ ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ દ્વારા જણાવાયું છે.

error: Content is protected !!