બેટ દ્વારકાના શ્રીરામ ઝરોખા મંદિરે મહાયજ્ઞમાં ૬ ટન પુષ્પોની આહુતિ

0

બેટ દ્વારકામાં આવેલ પૌરાણિક શ્રીરામ ઝરોખા મંદિરે દર વર્ષે કારતક અમાવસ્યાએ સંત મણીરામ બાપુની તિથિ નિમિત્તે શ્રીરામ અર્ચન પૂજન કાર્યક્રમ યોજાય છે. જે અંતર્ગત ગઈકાલે આ પૌરાણિક મંદિરે યોજાયેલ મહાયજ્ઞમાં ગુજરાત ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ તેમજ દિલ્હી સહિતના હિન્દી બેલ્ટના સેંકડો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે વિશેષતઃ બ્રાહ્મણો તેમજ ભાવીકો દ્વારા યજ્ઞકુંડમાં ૬ ટન જેટલાં પુષ્પોથી આહુતિ આપવામાં આવી હતી. આ સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનો અને વિશાળ ભંડાર નું પણ આયોજન કરાયું હતું. શ્રીરામ ઝરોખા મંદિરના મહંત ગોપાલદાસજી મહારાજના આમંત્રણે બહોળી સંખ્યામાં ભાવિકો મહાયજ્ઞ તથા ધાર્મિક આયોજનોમાં જાેડાયા હતા.

error: Content is protected !!