કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે પૂજ્ય મોરારીબાપુનું અનુકરણીય પગલું, રામકથામાં શ્રોતાઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય

0

હાલમાં જયપુર ખાતે  મોરારીબાપુની રામકથા ચાલી રહી છે . આપણે જાણીએ છીએ તેમ પુરા વિશ્વમાં અને આપણા દેશમાં પણ જાણે  કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોય તે રીતે દિન-પ્રતિદિન કેસમાં વધારો થતો જાય છે અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા વધતી જાય છે. આવા સંજાેગોમાં શક્ય તેટલી જાગૃતિ રાખવી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું એ કોરોના મહામારી ફેલાતી અટકાવવાનો મહત્વનો ઉપાય છે. પુજ્ય મોરારીબાપુએ જયપુરની રામકથા દરમ્યાન રાજસ્થાન સરકારના મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અંગત સચિવ અને તેના ઉચ્ચ તબીબો સાથે વાતચીત કરી હતી અને એમણે પોતે રામકથામાં ૨૦૦ શ્રોતાઓ માટેની મંજુરી મળેલ છે તેમ છતાં કોરોનાની મહામારી ફેલાતી અટકે એ દિશામાં પહેલ કરવા માટે થઈ અને શ્રોતાઓની સંખ્યામાં કાપ મૂકવાનું નક્કી કરેલ છે. મોરારીબાપુએ કહ્યું હતું કે, કોઈ પહેલ કરે ન કરે હું અને મારા શ્રોતાઓ, મારી કથા વાટિકાના અનુયાયીઓ અમે આ દિશામાં એક દાખલો બેસે તેવો ર્નિણય થાય એ માટે આગામી દિવસોમાં ધીમે ધીમે શ્રોતાઓની સંખ્યા ઓછી કરતા જઈશું અને એ પ્રમાણે અનેક શ્રોતાઓ ક્રમશઃ કથા સ્થળ ઉપરથી પરત ઘેર જવા નીકળી જશે. સામાજિક અંતર જાળવી ભીડ એકદમ ઓછી કરવી, માસ્ક અને સેનેટાઈઝર વગેરેનો ઉપયોગ કરવો એ કોરોનાને ફેલાતો અટકાવવા માટેના આ ઉત્તમ પગલાઓ છે. પૂજ્ય મોરારીબાપુએ આ દિશામાં પહેલ કરી અને ૨૦૦ શ્રોતાઓની મંજૂરી આપવામાં આવી હોવા છતાં શ્રોતાઓની સંખ્યા ઘટાડી આપણા સૌ માટે એક ઉત્તમ માર્ગદર્શન પુરૂ પાડ્યું છે. મોરારીબાપુએ કહ્યું હતું કે, તેમની આગામી કથાઓમાં પણ જરૂર જણાયે શ્રોતાઓની સંખ્યા એકદમ ઓછી રાખી શકાય તેવું કરવામાં આવશે.  સરકારના આરોગ્ય વિભાગ અને કોરોના માટેની તમામ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી આ રોગને ફેલાતો રોકવા પ્રયાસ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!