ઝાંઝરડામાં વાયર ખેંચતા કરંટ લાગતા યુવાનનું મોત

0

માણાવદરના ચિખલોદ્રામાં પાણીની મોટરમાં વિજશોકથી એકનું મોત

જૂનાગઢ પાસેના ઝાંઝરડામાં યુવાનનું અને માણાવદર પંથકમાં પણ યુવકનું ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા મૃત્યું નિપજ્યું હતંુ. ઝાંઝરડા ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરે પંચમહાલ જિલ્લાના ચીખોડા ગામનો વતની નગીનભાઈ રમેશભાઈ રાઠવા(ઉ.વ.૨૧) શનિવારે સવારે ઈલેક્ટ્રીક મોટરનો વાયર ખેંચતો હતો. જેમાંથી ઈલેક્ટ્રીક શોકનો જાેરદાર ઝટકો લાગતા બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા ગમગીની વ્યાપી ગઈ હતી. જયારે અન્ય એક બનાવમાં માણાવદર તાલુકાના બાંટવા પાસેના ચિખલોદ્રા ગામનાં હિતેશભાઈ તુલસીભાઈ મોઢા(ઉ.વ.૨૪) રવિવારે પાણીની ઇલેકટ્રીક મોટર લેવા જતા મોટરમાં શોટ હોવાથી વીજ કરંટ લાગતા હિતેશભાઈ પ્રાણ પંખેરુ ઉડી જતાં બાંટવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને બનાવને લઈ મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!