કલ્યાણપુરના ખાખરડા ગામે વૃધ્ધની હત્યા : ભારે ચકચાર પોલીસ દ્વારા ગુનો નોંધી હાથ ધરાતી તપાસ કલ્યાણપુર તાબેના ખાખરડા વિસ્તારમાં રહેતા આશરે ૮૦ વર્ષના એક વૃદ્ધની ગતરાત્રે તીક્ષ્ણ હથિયારો વડે ર્નિમમ હત્યા થયાનો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા ખાખરડા ગામની પરબડી સીમમાં રહેતા વજુભા બનેસંગ જાડેજા નામના આશરે ૮૦ વર્ષના વૃદ્ધ ગઈકાલે સોમવારે રાત્રિના આશરે ૮ઃ૩૦ વાગ્યાના સમયે પોતાની વાડીના મકાનના ફળિયામાં સુતા હતા. ત્યારે કોઈ અજાણ્‌યા શખ્સોએ આ સ્થળે આવી, અને વજુભા જાડેજા ઉપર ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે ગળાના તેમાં શરીરના અન્ય ભાગમાં હુમલો કરતા તેમને જીવલેણ ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ બનતા કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. હત્યાના આ બનાવે નાના એવા ખાખરડા ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.

0

પોલીસ દ્વારા ગુનો નોંધી હાથ ધરાતી તપાસ

કલ્યાણપુર તાબેના ખાખરડા વિસ્તારમાં રહેતા આશરે ૮૦ વર્ષના એક વૃદ્ધની ગતરાત્રે તીક્ષ્ણ હથિયારો વડે ર્નિમમ હત્યા થયાનો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા ખાખરડા ગામની પરબડી સીમમાં રહેતા વજુભા બનેસંગ જાડેજા નામના આશરે ૮૦ વર્ષના વૃદ્ધ ગઈકાલે સોમવારે રાત્રિના આશરે ૮ઃ૩૦ વાગ્યાના સમયે પોતાની વાડીના મકાનના ફળિયામાં સુતા હતા. ત્યારે કોઈ અજાણ્‌યા શખ્સોએ આ સ્થળે આવી, અને વજુભા જાડેજા ઉપર ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે ગળાના તેમાં શરીરના અન્ય ભાગમાં હુમલો કરતા તેમને જીવલેણ ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ બનતા કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. હત્યાના આ બનાવે નાના એવા ખાખરડા ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.

error: Content is protected !!