શિશુવિહાર દ્વારા સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં લીલી પરિક્રમામાં આવતા ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે ૧૫૦૦૦થી વધુ કાપડ થેલીનું વિતરણ

0

ભાવનગર શિશુવિહાર દ્વારા સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં લીલી પરિક્રમામાં આવતા ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે ૧૫૦૦૦થી વધુ કાપડ થેલીનું વિતરણ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગિરનારની પરિક્રમામાં ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહારથી ૧૫૦૦૦થી વધુ કાપડ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે. લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓ યાત્રા દરમ્યાનની ભોજન સામગ્રી તથા પાણી બોટલ અને નાસ્તાની સામગ્રી પ્લાસ્ટિક બેગમાં સાથે લઈ જઈને દર વર્ષે ૨૦૦ ટનથી વધુ પ્લાસ્ટિક દ્વારા પર્યાવરણને નુકશાન પહોંચતું હોય છે. જેને ધ્યાનમાં રાખી આ વર્ષે ગીર જંગલમાં વન સંરક્ષણ અને વન્ય પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે કાર્યરત wildlife conservation trustના સહયોગથી આ વર્ષે શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિક બેગની જગ્યાએ ભાવનગરની શ્રમિક બહેનોએ તૈયાર કરેલ ૨૦ ઇંચ×૧૪ ઇંચની કાપડની થેલીઓનું વિતરણ રાજકોટwildlife conservation trustના શીતલબહેન દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!