દેવભૂમિ દ્વારકામાં ૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે : પ્રાંત અધિકારી દ્વારકાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

0

દેવભૂમિ દ્વારકામાં ૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ રૂકમણીજીના ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને દ્વારકા નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા.૩૦ માર્ચથી તા.૩ એપ્રિલ, ૨૦૨૩ સુધી યોજાશે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા હતા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરવા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. દ્વારકામાં ૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમજ શોભાયાત્રા, મલ્ટી મીડિયા શો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. બેઠકમાં રૂકમણીજીના સ્વાગત કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગોના અધિકારીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારી એસોસીએશન, હોટેલ એસોસીએશન, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસીએશનના આગેવાનો સહિતના સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. બેઠકમાં મામલતદાર દ્વારકા, મામલતદાર કલ્યાણપુર, તાલુકા વિકાસ અધિકારી દ્વારકા અને કલ્યાણપુર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!