પાસ્તર ગામે મોરને ઘાયલ કરતા શ્વાન : પશુ સંસ્થા દ્વારા અપાયું નવજીવન

0


ભાણવડ તાબેના પાસ્તર ગામે એક મોરને શ્વાન દ્વારા ઘાયલ કરાતા આ મોર ઈજાગ્રસ્ત થયો હતો. આ અંગે સ્થાનિકોએ આ ઘાયલ મોરને છોડાવીને જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ગૃપને જાણ કરતા અશોકભાઈ ભટ્ટ તથા ટીમના અન્ય સભ્યો સ્થળ ઉપર દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત મોરને જરૂરી સારવાર આપી હતી. ત્યાર બાદ આ મોરને વધુ સારવાર અર્થે ગણેશગઢ ગામે આવેલી જીવદયા હોસ્પિટલ ખાતે રીફર કરી, અને ઘાયલ મોરને નવજીવન અપાયું હતું.

error: Content is protected !!