ખંભાળિયામાં આચાર્ય પરિવારનો હવન યોજાયો

0
ખંભાળિયામાં ગગવાણી ફળીમાં આવેલા આચાર્ય પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના મંદિરે શરદપૂર્ણિમા નિમિત્તે ગુરુવારે વાર્ષિક દિન હોય, ચંદીપાઠ સાથેના હવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીના મંદિરે વિશિષ્ટ શૃંગાર સાથે બપોરે 1:30 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિથી શાસ્ત્રી શ્રી આરંભડિયા દ્વારા હવનનું બીડું હોમવામાં આવ્યું હતું.
       જેમાં આચાર્ય પરિવારના મોભી સુરેશભાઈ આચાર્ય, સોનલબેન, યોગેશભાઈ, નિશાબેન, નીતિનભાઈ, ભગવતીબેન, હિતેન્દ્રભાઈ, હીનાબેન, દીપ, જીનીશ, ઝીલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
error: Content is protected !!